2026 : સિંહોના શિકાર અંગેનો મોટો ભ્રમ તૂટ્યો! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો, પશુપાલકો માટે રાહતના સમાચાર
દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ, પાલતુ પશુઓ પર નિર્ભર હોવાની માન્યતા ખોટી સાબિત: નવા સંશોધનનો ખુલાસો દરિયાકાંઠાનાં સિંહોનો મુખ્ય શિકાર નિલગાય અને ભૂંડ: સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતાને નવા અભ્યાસે ખોટી પાડી. સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100 જેટલા સિંહોનો વસવાટ. ગીર જંગલ બહાર દરિયાકાંઠે વસતા સિંહો ખેતીનાં પાકને નુકશાન કરતાં નીલગાયો અને જંગલી ભૂંડોનો શિકાર કરી ખેડૂતોનાં ખરા મિત્રો બન્યાં. આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ ‘કન્ઝર્વેશન’ (Conservation)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કૂલ શિકારમાંથી લગભગ ૭૦ ટકા હિસ્સો વન્ય જીવોના શિકારનો છે. એટલે કે આ સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ છે. “આ સંશોધન અભ્યાસ દર્શાવે છે કે ગીર જંગલની બહાર રહેતા સિંહો નીલગાય અને…







