ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર, જાણો વિગત
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી અને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કરારની તમામ વિગતો પર આખરી સંમતિ સધાઈ ગઈ છે. સંતુલિત અને ભવિષ્યલક્ષી કરાર રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ કરાર ભારત માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી ભારત અને યુરોપીયન દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. હસ્તાક્ષર અને અમલીકરણ – વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી છે, અને કરાર અંતિમ તબક્કે છે. – હાલમાં FTA ના લખાણની કાયદાકીય ચકાસણી (Legal Scrubbing) ચાલી રહી છે. – સરકારનો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી હસ્તાક્ષર…
ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ
ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of Reference (ToR) નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. ToR એ તે પ્રક્રિયા છે જેના દ્વારા આગળની વાટાઘાટો માટે રૂપરેખા, પ્રાથમિકતાઓ અને વ્યાપાર ક્ષેત્ર નક્કી થાય છે. આ નિર્ણય એ દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં, ભારત અને કેનેડા આર્થિક સહયોગ વધારવા માટે ઉત્સુક છે. અગાઉ 2023માં આ FTA વાટાઘાટો રોકાઈ ગયા હતા, પરંતુ હવે બંને દેશો ફરીથી આને આગળ વધારવા તૈયાર છે. વિશ્વ અર્થવ્યવસ્થામાં વેપાર અને રોકાણ વધારવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે. વાટાઘાટો સફળ થયા, તો વેપારીઓ અને રોકાણકારો માટે નવી તકો અને…
India-UK FTA: ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર થયા હસ્તાક્ષર, જાણો શું છે વેપાર કરાર?
6 મે, 2025ના રોજ ભારત અને યુકે (યુનાઇટેડ કિંગડમ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહમતી થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારની ઘોષણા કરી હતી. આ કરાર બંને દેશોની આર્થિક પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મુખ્ય લાક્ષણિકતાઓ: – બ્રિટિશ વ્હિસ્કી અને કારો પર ડ્યુટીમાં ઘટાડો બ્રિટિશ વ્હિસ્કી અને વાઇન પરની આયાત ડ્યુટી 150%માંથી ઘટાડી પ્રથમ તબક્કે 75% કરવામાં આવશે અને ધીમે ધીમે 10 વર્ષમાં 40% સુધી લાવવામાં આવશે. ઓટોમોબાઈલ્સ (કારો) પરની ડ્યુટી પણ 100%માંથી ઘટાડી 10% નિશ્ચિત ક્વોટા હેઠળ રહેશે. – ભારતીય નિકાસકારોને મોટો લાભ કાપડ, ચામડાના ઉત્પાદનો અને મશીનરી જેવી ભારતીય ઉત્પાદનો પર યુકેમાં કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે. – વ્યાવસાયિક વિઝા સરળ બનાવશે…









