ગુજરાત બાદ દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં પણ એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ
નકલી અથવા નોન-ડેરી પનીરના વેચાણ સામે કાર્યવાહી વધુ કડક બની રહી છે. ગુજરાત બાદ હવે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને પણ એનાલોગ પનીર સામે મોટો નિર્ણય લીધો છે. પ્રશાસન દ્વારા જાહેર આરોગ્યના હિતમાં એનાલોગ પનીરના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પ્રશાસનના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોને અસલી પનીરના નામે નોન-ડેરી અથવા એનાલોગ પનીર વેચવામાં આવતું અટકાવવાનો છે. કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ગેઝેટ વ્યવસ્થા હેઠળ વિવિધ જાહેરનામા અને નિયમો પ્રસિદ્ધ કરવામાં આવે છે. શું છે એનાલોગ પનીર? સામાન્ય રીતે અસલી પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે. જ્યારે એનાલોગ અથવા નોન-ડેરી પનીરમાં…






