Gujaratમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધPublic Health Protection 2026
Gujaratમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ ગાંધીનગર: Gujaratમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ચલાવી લેવામાં આવશે નહીં. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે તપાસ, સેમ્પલિંગથી લઈને કોર્ટ કાર્યવાહી સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ‘એનાલોગ પનીર’ના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન સામે રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધનો નિર્ણય લીધો છે. -> Gujarat એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ…






