અમેરિકાના બફેલો એરપોર્ટ પર ઈંધણ સંકટનો એલર્ટ, NOTAMથી ફ્લાઇટ ઓપરેશનમાં ખળભળાટ

અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં આવેલા Buffalo Niagara International Airport પર 24 ઓગસ્ટ 2026ના રોજ વિમાનોના ઈંધણને લઈને અચાનક ઓપરેશનલ સમસ્યા સર્જાઈ હતી. એરપોર્ટ પર વિમાનોમાં ઈંધણ ભરવાની સુવિધા થોડા સમય માટે ઉપલબ્ધ ન રહેતા FAA તરફથી NOTAM જાહેર કરવામાં આવ્યો હતો. આ જાણકારી બહાર આવતા એરલાઈન્સ અને મુસાફરોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે એરપોર્ટના ઈંધણના ટાંકા સંપૂર્ણપણે ખાલી થઈ ગયા નહોતા; ઈંધણ ટ્રાન્સફર સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે રિફ્યુઅલિંગ કામગીરી પ્રભાવિત થઈ હતી. NOTAM જાહેર થતાં ખળભળાટ FAAના NOTAMમાં Buffalo Niagara Airport પર ચોક્કસ સમયગાળા દરમિયાન એરક્રાફ્ટ માટે apron fuel ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું. NOTAMનો હેતુ પાઇલટ અને એરલાઈન્સને અગાઉથી આવી ઓપરેશનલ મર્યાદાની જાણ કરવાનો છે, જેથી તેઓ ફ્લાઇટની યોજના તે પ્રમાણે…

અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કડક વધારો કરવામાં આવશે. આ સંદર્ભે ઍરપોર્ટ સત્તાધીશો અને તમામ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. વધારાની સુરક્ષા તપાસને કારણે સમય વધુ લાગી શકે છે, તેથી મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ ઍરપોર્ટ પર પહોંચવાની તાકીદ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ, ડબલ ચેકિંગ સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ સૂચના આપી છે કે, – મુસાફરો માત્ર 7 કિલો સુધીની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે – ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટ ઉપડવાના 60…

ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી. શું હતું વિવાદ? 1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા. સર્વેમાં સામે આવેલા આંકડા LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી…

Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી

સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી, જેના લીધે ટેકનિકલ ટીમે તરત તપાસ હાથ ધરી. મૂલ્યાંકન પછી સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી, જેનાથી નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો. મુસાફરોમાં ભારે હાલાકી ફ્લાઇટમાં કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા અને અંદાજે 12 કલાક સુધી રાહ જોવાઈ. એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો. બીજું પ્લેન મોકલાયું પરિસ્થિતિને સુલજાવવા માટે એરલાઇન્સે જયપુરથી સુરત જતી બીજી ફ્લાઇટને ડાયવર્ટ કરીને સુરત મોકલી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 વાગ્યે સુરત પહોંચ્યું. તમામ…

ગાઢ ધુમ્મસને કારણે હવાઈ ટ્રાફિક ખોરવાયો: દિલ્હી એરપોર્ટ પરથી 110 ફ્લાઇટ્સ રદ, 370થી વધુ મોડી

રવિવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર હવાઈ સેવાઓ પર ગંભીર અસર જોવા મળી. દૃશ્યતા ઘટી જવાથી કુલ 110 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેમાં 59 આગમન અને 51 પ્રસ્થાનની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિકૂળ હવામાનની અસર દિવસભર યથાવત રહી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના ડેટા મુજબ, 370થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ખાસ કરીને પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સમાં સરેરાશ 26 મિનિટનો વિલંબ નોંધાયો હતો. દિલ્હી એરપોર્ટના સંચાલક DIAL (Delhi International Airport Limited) દ્વારા સાંજે આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે તમામ પડકારો વચ્ચે એરપોર્ટની કામગીરી શક્ય તેટલી સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે IGIA દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંનું એક છે, જ્યાં દરરોજ અંદાજે 1,300 ફ્લાઇટ્સનું સંચાલન…

ઇન્ડિગો સંકટ : દિલ્હી-બેંગલુરુમાંથી 160 ફ્લાઇટ્સ રદ્દ, મુસાફરોને મુશ્કેલી

ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ યથાવત છે. 12 ડિસેમ્બરના રોજ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પરથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. DGCA દ્વારા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ મુસાફરો માટે મુશ્કેલી હજુ ઓછી નથી થઈ. ઇન્ડિગો સંકટ: પાછળનું પરિપ્રેક્ષ્ય ગયા એક અઠવાડિયાથી ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ્દ થવાનાં સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે દેશના બે મુખ્ય એરપોર્ટ પરથી 160 ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે મુસાફરોને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. એરલાઇનના જણાવ્યા મુજબ, 12 ડિસેમ્બરે 2050 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ થવાની અપેક્ષા છે. નેટવર્કમાં તમામ 138 સ્થળો ફરીથી જોડાઈ ગયા છે, અને ઓપરેશન્સ 9 ડિસેમ્બર 2025થી સ્થિર થયાં છે. ફ્લાઇટ રદ્દ થવાના આંકડા – દિલ્હી એરપોર્ટ: 105 ફ્લાઇટ્સ રદ્દ (52 પ્રસ્થાન + 53 આગમન) – બેંગલુરુ એરપોર્ટ:…

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ અને કેન્સલેશન ફી સંપૂર્ણપણે માફ કરી છે. મુસાફરોને રિફંડની પ્રક્રિયા ઓટોમેટિક શરૂ થશે, તેમજ એરલાઇને અસુવિધા બદલ માફી પણ માંગી છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પાયલટ્સ માટેનો ફરજિયાત 48 કલાકનો ‘વિકલી રેસ્ટ’નો નવો નિયમ પાછો ખેંચી લીધો છે. પાયલટની અછત દૂર થતાં હવે ઓપરેશન્સ પરનું દબાણ ઘટશે અને ફ્લાઇટ શેડ્યૂલ ઝડપી સ્થિર થવાની આશા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આજ રાતથી જ ઇન્ડિગો ફ્લાઇટ્સનું શેડ્યૂલ સામાન્ય થવાનું શરૂ થઈ જશે, જ્યારે મુસાફરોને એરપોર્ટ જવા પહેલાં ઘરેથી જ ફ્લાઇટ…