પાકિસ્તાનની હોસ્પિટલમાં ભીષણ આગ: 14 નવજાતનાં મોત, ACમાં ખામીથી આગ લાગ્યાની આશંકા

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બુધવારે સવારે બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં અનેક નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યો છે. ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં આવેલા નવજાત શિશુઓના વોર્ડમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 14 નવજાત શિશુઓનાં મોત થયા છે, જ્યારે એક બાળકને જીવિત બચાવી લેવામાં આવ્યું હતું. શરૂઆતના અહેવાલોમાં મૃત્યુઆંક 15 હોવાનું પણ જણાવાયું હતું, પરંતુ બાદમાં હોસ્પિટલ અને સરકારી અધિકારીઓએ 14 બાળકોનાં મોતની પુષ્ટિ કરી છે. હોસ્પિટલમાં સવારે 6:45 વાગ્યે આગ લાગી મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારે આશરે 6:45 વાગ્યે PIMS હોસ્પિટલના ત્રીજા માળે આવેલા Mother and Child Health Wardના NICUમાં આગ લાગી હતી. આ વોર્ડમાં નવજાત બાળકો સારવાર હેઠળ હતાં. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં વોર્ડમાં…

સુરત પાલિકાની કામગીરી સામે સવાલ: પુણા-વરાછામાં હોટ ફિક્સ વેસ્ટના ઢગલામાં આગ

સુરત શહેરમાં હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલની સમસ્યા હવે માત્ર ગંદકી અને પર્યાવરણ પૂરતી સીમિત રહી નથી. પુણા-વરાછા વિસ્તારમાં રસ્તાની બાજુ, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે ઠલવાતા પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા વચ્ચે આગ લાગવાની ઘટના સામે આવતા સુરક્ષા અને ફાયર હેઝાર્ડનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. રસ્તા નજીક મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્લાસ્ટિક વેસ્ટ પડેલો હોવાને કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી અને હોટ ફિક્સ ઉદ્યોગોના કારણે આ વિસ્તારમાં દરરોજ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. માત્ર વરાછા વિસ્તારમાંથી જ દરરોજ અંદાજે 40 મેટ્રિક ટનથી વધુ હોટ ફિક્સ વેસ્ટ નીકળતો હોવાનો અંદાજ છે. આટલા મોટા જથ્થાના કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે અસરકારક સિસ્ટમ જરૂરી છે, પરંતુ જાહેર સ્થળોએ કચરો ઠાલવવાની ફરિયાદો વચ્ચે પાલિકા…

કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા

ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સાંકડી ગલીઓમાં બચાવ કાર્ય અડચણભર્યું અગ્નિગામ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 15 ફાયર બ્રિગેડ ટીમોને ગોડાઉનમાં પ્રવેશ અને પાણી પહોંચાડવામાં મુશ્કેલી આવી, કારણ કે વિસ્તાર ખૂબ સાંકડી ગલીમાં આવેલો હતો. આગ એટલી વિકરાળ હતી કે બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો. લોકોનો આક્ષેપ સ્થાનિકો અને શ્રમિકોનો આક્ષેપ છે કે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતાં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો…

માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર-૪માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં આશ્રમના અડધો ડઝનથી વધુ રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આગ લાગતી વખતે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. તંબુના પાછળના ભાગેથી અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેતી…

અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ, સ્પા સેન્ટર બળીને ખાક

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ પર આવેલ પેલેડિયમ બિઝનેસ હબમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો. પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળ પર આગની સૂચના મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગને બે કલાકનો સમય લાગ્યો. આ દરમિયાન, આસપાસના લોકોમાં ડરનો માહોલ છવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થતી ન હતી અને ન તો કોઈ ફસાયું હતું. ગાંધીનગર હાઇવે પર આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગવાની વિગતો સામે આવી છે. આ કારણસર, કડક સુરક્ષાની કામગીરી હેઠળ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવામાં આવ્યું. ત્યારબાદ, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો. આગનો પ્રારંભ ખાસ કરીને સ્પા સેન્ટરમાં થતો જણાય છે. અહીં રહેલા માલ-સામાન બળીને ખાક…

હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનામાં એક અગ્નિશામક પણ મોતને ભેટ્યો છે. આગ કઈ રીતે ફાટી નીકળી? આગ ચીનના શેનઝેનની સરહદ નજીકના તાઈ પો વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક સંકુલમાં ફાટી નીકળી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આગે સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ, જેમાં એક પડોશી ટાવર પણ અસરગ્રસ્ત થયો. આ ઘટનાના પગલે 900 થી વધુ લોકો સ્થળાંતર કરવામાં આવ્યા અને સેંકડો લોકોને કાંઠા પર કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસ અને પોલીસ કાર્યવાહી હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું કે આગના કારણની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ…