₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL
– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…
શ્રેયસ તલપડે વિરુદ્ધ યુપીમાં છેતરપિંડીનો કેસ નોંધાયો, 12 અન્ય લોકો સામે FIR
બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ભોગાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ શ્રેયસ તલપડે સહિત કુલ 13 લોકો સામે રોકાણ યોજનાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સ્થાનિક રહેવાસીની ફરિયાદ બાદ કાર્યવાહી માહિતી અનુસાર, મોહલ્લા મિશ્રાના એક સ્થાનિક રહેવાસીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે શહેરમાં આવેલી એક મુંબઈ બેંક શાખા મારફતે ખાસ રોકાણ યોજના ચલાવવામાં આવી હતી. આ યોજનામાં ઊંચા નફાની લાલચ આપીને ગામલોકોને પૈસા રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આરોપ છે કે મોટી રકમ એકત્રિત કર્યા બાદ રોકાણકારોને નક્કી મુજબ રકમ પરત આપવામાં આવી નથી, જેના કારણે અનેક લોકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો ફરિયાદ બાદ…
Delhi/ સૌરભ ભારદ્વાજ અને અન્ય ત્રણ AAP નેતાઓ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહેમદ ખાન વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપસર FIR નોંધી છે. આ કેસ ખ્રિસ્તી સમુદાયના પવિત્ર પ્રતીક સાન્તાક્લોઝના કથિત અપમાનજનક ચિત્રણ સાથે સંબંધિત છે. એડવોકેટ ખુશ્બુ જ્યોર્જની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, 17 અને 18 ડિસેમ્બર, 2025 ના રોજ આ નેતાઓના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર થયા બાદ વિવાદ શરૂ થયો હતો. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં આયોજિત રાજકીય નાટકનો ભાગ હતો. એવો આરોપ છે કે આ વીડિયોમાં ખ્રિસ્તી સમુદાયના આદરણીય ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીક સાન્તાક્લોઝને ખૂબ જ અપમાનજનક અને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે વીડિયોમાં સાન્તાક્લોઝને રસ્તા પર બેભાન હાલતમાં પડી જતા…
ભ્રષ્ટાચારનું એપી સેન્ટર સુરેન્દ્રનગર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન કૌભાંડ મામલે કલેક્ટર સામે એસીબીમાં FIR 400 કરોડની જમીનથી લઈ બંદૂકના લાયસન્સ સુધીના કૌભાંડ એક સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું NA કૌભાંડ નાયબ મામલતદારના ઘરેથી 67 લાખ રોકડા મળ્યા સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવાતું સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે EDને ખખડાવી સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR ક્લાર્ક, અંગત સચિવ, ના.મામલતદારની પણ સંડોવણી તપાસમાં મોબાઈલમાંથી લેતીદેતીના વ્યવહાર મળ્યા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે. યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર…
Bihar: કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો ચૂંટણી પંચે કેમ કરી કાર્યવાહી ?
બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR દાખલ કરી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પગલે તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી. મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદનો બદલ કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. લલ્લન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. લલ્લન સિંહે મતદાનના દિવસે એક નેતાને ઘરે મોકલી દેવાની ધમકી આપી હતી. આ અંગેની માહિતી પટણા ડીએમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “પટણા…
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
અરવલ્લી જિલ્લાના બાયડમાં છેલ્લા 15 માસમાં કુલ 1081 ફરિયાદ નોંધાઈ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં છેલ્લા 15 મહિનામાં કુલ 1,081 ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માહિતી આપે છે. બાયડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં જાન્યુઆરી માસમાં 69, ફેબ્રુઆરી માસમાં 56, માર્ચ માસમાં 80,એપ્રિલ માસમાં 63, મે માસમાં 65, જુન માસમાં 62, જુલાઈ માસમાં 64, ઓગસ્ટ માસમાં 67,સપ્ટેમ્બર માસમાં 49 , ઓક્ટોમ્બર માસમાં 46, નવેમ્બર માસમાં 56, ડીસેમ્બર માસમાં 99, વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં 87, ફેબ્રુઆરી માસમાં 80, માર્ચ માસમાં 91 કુલ્લે છેલ્લા 15 માસમાં 1081 જેટલી ફરિયાદ નોંધવામાં આવી. B – india ની અપીલ : 2025નાં વર્ષમાં બાયડ પોલીસ સ્ટેશનના કર્મચારી/અધિકારીઓ દ્વારા અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા ગૃહ ખાતા દ્વારા બાયડ…
હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા પણ આ મામલે કડક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા કામગીરીનો અહેવાલ મુકવામાં આવ્યા બાદ રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. આ બાબતે હવે કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે. અમદાવાદમાં હવે જો તમે રોંગ…















