લોનના નાણાંની કથિત હેરાફેરીનો કેસ, RCOM સામે EDની મોટી કાર્યવાહી

રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. એજન્સીએ નવી દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ PMLA કોર્ટમાં સપ્લિમેન્ટરી પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ દાખલ કરી છે. આ કાર્યવાહી 27 માર્ચ, 2026ના રોજ દાખલ કરવામાં આવેલી મૂળ પ્રોસિક્યુશન ફરિયાદ બાદની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. EDની તપાસનો આધાર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની બેન્કિંગ સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIR છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓની ફરિયાદોના આધારે CBIએ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ EDએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરી હતી. માર્ચમાં EDએ પૂર્વ RCOM એક્ઝિક્યુટિવ પુનિત ગર્ગ અને અન્ય સામે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી. લોનના નાણાંના કથિત દુરુપયોગનો આરોપ EDના જણાવ્યા અનુસાર,…

₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL

– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…

EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક…

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન  જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ…

કેન્દ્ર સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સ બ્લોક કરી, યુવાનોને સટ્ટાબાજીથી બચાવવા લેવાયું પગલું

ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ઉદ્યોગના વધતા જોખમોને પગલે કેન્ર્ સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7,800થી વધુ શંકાસ્પદ લિંક્સ અવરોધિત કરવામાં આવી છે. મુખ્ય હેતુ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે: – યુવાનોને રાતોરાત અમીર બનવાની લાલચ આપતી ગેરકાયદે વેબસાઇટ્સથી બચાવવી – નાણાકીય છેતરપિંડી અને વ્યસનના જોખમથી સુરક્ષિત રાખવું – ઓનલાઈન ગેમિંગ એક્ટ હેઠળ કડક નિયમન અમલમાં લાવવું બ્લોક કરાયેલી વેબસાઇટ્સ આજની કાર્યવાહી હેઠળ બ્લોક થયેલી વેબસાઇટ્સમાં મુખ્યત્વે: – સ્પોર્ટ્સ સટ્ટાબાજી (Sports Betting) – કેસિનો ગેમ્સ (Casino Games) – ક્રિપ્ટોકરન્સી આધારિત જુગાર આ તમામ પ્લેટફોર્મ્સ માન્ય લાઇસન્સ વિના કાર્યરત હતા. કેન્દ્ર સરકારની કાર્યવાહી ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs)ને આ લિંક્સને અવરોધવા સૂચના આપવામાં આવી છે. ગેરકાયદેસર પ્લેટફોર્મ્સ સામે આર્થિક…

શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો? EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત…

અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ

અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના બેંક ફ્રોડનો ખુલાસો થયો છે. 6 સ્થળે દરોડા, 3 કંપનીઓ રડાર પર EDએ અમદાવાદ શહેરમાં છ જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓ ત્રણ ટેક્સટાઇલ કંપનીઓના ઓફિસ, વેરહાઉસ અને સંબંધિત સ્થળો પર કરવામાં આવ્યા. તપાસ દરમિયાન EDએ મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કમ્પ્યુટર સાબૂત એકત્ર કર્યા છે. ₹3 કરોડના દાગીના અને ₹23 લાખની FD ફ્રીઝ આ કાર્યવાહી દરમિયાન EDએ અંદાજિત ₹3 કરોડના સોના અને હીરાના દાગીના, ₹23 લાખની ફિક્સ ડિપોઝિટ (FD), મોટી સંખ્યામાં નાણાકીય દસ્તાવેજો, કમ્પ્યુટર ડેટા અને સોસાયટી રેકોર્ડ જપ્ત કર્યા છે. આ તમામ…