‘સ્વસ્થ ધરા, ખેત હરા’: ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ

ગુજરાતના સર્વાંગી વિકાસમાં કૃષિ વિકાસ એક મહત્વપૂર્ણ પાયો છે. રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. જો ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી ન થાય, તો તે ઉજ્જડ બનતી જાય છે. જમીન ઉજ્જડ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે પ્રદૂષણ, જમીનમાં વધતી ખારાશ અને રસાયણિક ખાતર તથા દવાઓનો અતિશય ઉપયોગ. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. પ્રધાનમંત્રીની દૂરંદેશી પહેલને આગળ ધપાવી અને વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાત દ્વારા…

ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી

ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. ભારત સરકાર દ્વારા 2025-26 માટે કપાસનો ટેકાનો ભાવ રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1612 પ્રતિ મણ) નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવે કરતાં રૂ. 800 થી 1000 ઓછો છે, જેના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છુક છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના સૂચનો: – CCI દ્વારા તમામ પાત્ર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવી. – જ્યાં જરૂરી હોય ત્યાં નોંધણીની સમયમર્યાદા લંબાવવા. – ખરીદી કેન્દ્રોની ઉપલબ્ધતા…