વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, રાજ્યમાં આ સુવિધાઓ વધારવામાં આવશે
વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઋષિકેશ પટેલે આરોગ્ય સુવિધાઓમાં મોટા સુધારા અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, 2025-26ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 16.35% નો વધારો કરવામાં આવ્યો છે. જે માટે કુલ ₹23,385.33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ જાહેર કર્યું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયતત સંસ્થા સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થા મગજ અને નર્વસ સિસ્ટમના રોગો માટે નવીન સારવાર, તેમજ ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ માટે સહાયરૂપ બનશે. સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં આ સંસ્થા સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ અન્ય વિસ્તારોમાં પણ સેટેલાઈટ સેન્ટરો શરૂ કરાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે, જે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા સંચાલિત…
પાકિસ્તાનના હિન્દુ સંગઠને હોળીની ઉજવણી માટે સુરક્ષા અને સુવિધા પુરી પાડવા કરી અપીલ
પાકિસ્તાનના એક હિન્દુ અધિકાર સંગઠને મંગળવારે સરકારને મુલતાનના એક પ્રાચીન મંદિરમાં હોળીની ઉજવણી માટે સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી. સંગઠને પાકિસ્તાન સરકારને પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં સ્થિત પ્રાચીન પ્રહલાદપુરી મંદિરમાં હોળી અને હિન્દુઓના અન્ય તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે સુરક્ષા અને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિનંતી કરી. પ્રહલાદપુરી મંદિર એક ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે જે હિન્દુ દેવતા નરસિંહને સમર્પિત છે. લોકવાયકા અનુસાર, હોળીનો તહેવાર આ મંદિરથી શરૂ થયો હતો. જોકે, હાલમાં આ મંદિર જર્જરિત હાલતમાં છે. હારૂન સરબ દિયાલે આ માંગણી ઉઠાવી :- ઓલ પાકિસ્તાન હિન્દુ રાઇટ્સ મૂવમેન્ટના અધ્યક્ષ હારૂન સરબ દિયાલે જણાવ્યું હતું કે 14 થી 16 માર્ચ દરમિયાન મંદિરમાં હોળી અને અન્ય તહેવારોની ઉજવણી માટે પાકિસ્તાની હિન્દુઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવી જોઈએ. દિયાલે એમ…








