બાંગ્લાદેશની શેખ હસીનાની પ્રત્યાર્પણ માગણી, ICTના ફાંસીના ચુકાદા બાદ રાજકીય તોફાન
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે હલચલ મચી છે. ચુકાદાના થોડા કલાકોમાં જ ડૉ. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને ઔપચારિક રીતે પ્રત્યાર્પણ માટે પત્ર મોકલીને બંને નેતાઓને “તાત્કાલિક સોંપી દેવા”ની માંગણી કરી છે. ભારતને બાંગ્લાદેશી સરકારનો પત્ર બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે “ICTએ માનવતા વિરુદ્ધના અપરાધોમાં દોષિત ઠેરવાયેલા શેખ હસીના અને અસદુઝમાન ખાન કમાલને ફાંસીની સજા સંભળાવી છે. જો કોઈ દેશ આવા ફરાર આરોપીઓને આશરો આપે છે, તો તે ન્યાયની અવગણના અને દ્વિપક્ષીય મિત્રતાની ભાવનાના વિરુદ્ધ ગણાશે.” પત્રમાં 2013ની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધીનો ઉલ્લેખ કરતા બાંગ્લાદેશે કહ્યું કે, તે…







