’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા
બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ હસીનાના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ રાખશે જેથી તેણી પર વ્યક્તિગત રીતે કેસ ચલાવી શકાય અને ટૂંક સમયમાં ભારતથી પરત લાવી શકાય. આલમે જણાવ્યું હતું કે એક ભારતીય મીડિયા જૂથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 55 ટકા ભારતીયો ઇચ્છે છે કે તેમને ઢાકા પાછા લાવવામાં આવે, જ્યારે થોડા ટકા લોકો ઇચ્છે છે કે તેમને બીજા દેશમાં મોકલવામાં આવે અને માત્ર 16-17 ટકા લોકો ઇચ્છે છે કે તેઓ ભારતમાં રહે. -> આ સર્વે ઇન્ડિયા ટુડે એનઇ દ્વારા આયોજિત “મૂડ ઓફ ધ નેશન” શીર્ષક હેઠળ હાથ ધરવામાં…







