ઝારખંડમાં કેમ ભડક્યા છે વિદ્યાર્થીઓ? JPSC-JSSC ભરતી વિવાદે પકડ્યું જોર

ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની રાંચીમાં ઉમેદવારો સતત ધરણા, વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આક્રોશ માત્ર એક પરીક્ષા કે એક ભરતી પ્રક્રિયા સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ રાજ્યની ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. ઝારખંડમાં વિરોધનું મુખ્ય કેન્દ્ર ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) દ્વારા લેવાતી ભરતી પરીક્ષાઓ છે. ઉમેદવારોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને પરિણામોમાં અનિયમિતતા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ઝારખંડમાં શું છે JPSC વિવાદ? ઝારખંડમાં તાજેતરમાં 14મી JPSC સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાનું…

પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, હવે લેખિત પરીક્ષા તરફ નજર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી (Physical Test)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. PSI (પી.એસ.આઈ.) કેડર અને લોકરક્ષક કેડર માટે રાજ્યભરના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ પર વિશાળ સ્તરે પરીક્ષાઓ યોજાઈ હતી. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ હાથ ધરાયેલી આ ભરતી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે રાજ્યમાં પોલીસ ભરતી પ્રત્યેનો ભારે ઉત્સાહ દર્શાવે છે. નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોમાંથી શારીરિક કસોટી માટે પસંદગી કરવામાં આવી હતી. 1.10 લાખથી વધુ ઉમેદવારો ક્વોલિફાય શારીરિક પરીક્ષા પૂર્ણ થયા બાદ કુલ 1,10,665 ઉમેદવારો સફળ જાહેર થયા છે. તેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓનો પણ નોંધપાત્ર પ્રમાણમાં ભાગ રહ્યો છે. રાજ્યભરમાંથી…

રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મળી મંજૂરી, જાણો વિગત

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE (Combined Competitive Examination) પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેનો સીધો અસર આવનારી ભરતી પ્રક્રિયામાં જોવા મળશે. ઉમેદવારો હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે, જેથી પરીક્ષામાં સફળતા મળી શકે. મુખ્ય ફેરફારો અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેતી હતી, હવે તે 150 ગુણની કરવામાં આવી છે. આ બદલાવથી પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની જશે અને ઉમેદવારના જ્ઞાનનું વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પર ઉમેદવારોનું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આગામી…

TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે

રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી OMR આધારિત આન્સર કી ઉમેદવારો www.sebexam.org વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે. નોંધનીય છે કે અન્ય સરકારી પરીક્ષાઓમાં સામાન્ય રીતે પરીક્ષા બાદ બીજા દિવસે જ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારે TETના ઉમેદવારો લાંબા સમયથી આન્સર કી ઝડપથી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. 38 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા TET-1 પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.…

UPSC પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમના મનપસંદ કેન્દ્ર આપવામાં આવશે, જાણો વિગત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે UPSCની તમામ પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. જો તે કેન્દ્રની ક્ષમતા સંપૂર્ણ થઈ ગઈ હોય. UPSC ચેરમેન અજય કુમારના જણાવ્યા મુજબ, દિલ્હી, કટક, પટના અને લખનૌ જેવા કેટલાક કેન્દ્રો ખૂબ ઝડપથી ભરાઈ જતા હવાલે દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર મેળવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કમિશને નિર્ણય કર્યો છે કે દિવ્યાંગ ઉમેદવાર જ્યારે પોતાનું મનપસંદ કેન્દ્ર પસંદ કરશે, ત્યારે ક્ષમતા પૂર્ણ થઈ હોવા છતાં તે પસંદગી માન્ય ગણાશે. કમિશન જરૂર પડે ત્યારે વધારાની બેઠકોની વ્યવસ્થા કરશે જેથી કોઈ દિવ્યાંગ ઉમેદવારને કેન્દ્ર બદલવાનું દબાણ ન પડે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…

શિક્ષણ સહાયક ભરતી 2024 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ પરિપત્ર કર્યો જાહેર

શિક્ષણ સહાયક ભરતી 2024 માટે મોટું અપડેટ આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો અને પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. કોઈ ઉમેદવારોને મળશે પસંદગીનો મોકો? List-A: શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો પ્રતિક્ષા યાદી: 23 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત શાળા પસંદગીની તારીખો 10 ડિસેમ્બર 2025 – 12 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી અનુસાર ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાંથી શાળાઓ પસંદ કરી શકે છે. ક્યાં અને કેવી રીતે કરવી શાળા પસંદગી? 🔗 વેબસાઇટ: https://gserc.in/ અહીં બધા ઉમેદવારો અમર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરી…

માહિતી વિભાગની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ડિસેમ્બરમાં

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે વર્ષ 2025ની જાહેરાતો બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન માહિતી વિભાગમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રથમ આરંભિક આયોજન અનુસાર પરીક્ષા 25 નવેમ્બર 2025ના રોજ લેવાની હતી. પરંતુ ઉમેદવારો અને અન્ય સંસ્થાઓ દ્વારા આ મુદ્દે વિવાદ ઉઠ્યો હતો, કારણ કે પરીક્ષા માટેની વિગતવાર અભ્યાસક્રમ જાહેરાતમાં સમાવિષ્ટ નહોતી. આ અભાવને લીધે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં મૂંઝવણમાં મુકાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી મુજબ, વિગતવાર અભ્યાસક્રમ મળતા જ અને વહીવટી કારણોસર પ્રાથમિક પરીક્ષા 15 ડિસેમ્બર 2025 (સોમવાર)એ લેવામાં આવશે. આ નવી તારીખ પર તમામ સંબંધિત ઉમેદવારોને…