બદ્રિનાથના માના નજીક હિમપ્રપાતમાં ફસાયેલા 33 કામદારોને બહાર કઢાયા, હજુ 22ની શોધખોળ ચાલુ

ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા વચ્ચે, શુક્રવારે સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથમાં સરહદી માના ગામ નજીક હિમપ્રપાતને કારણે ફસાયેલા 33 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 22 અન્ય લોકોની શોધ ચાલુ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમને અહીં જણાવ્યું હતું કે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે બદ્રીનાથ ધામથી છ કિલોમીટર આગળ થયેલી હિમપ્રપાતની ઘટનામાં 57 કામદારો ફસાયા હતા, પરંતુ હવે સ્થાનિક વહીવટીતંત્રે કહ્યું છે કે બે કામદારો રજા પર હોવાથી, ઘટનાસ્થળે 55 કામદારો હાજર હતા. તેમણે કહ્યું કે સાંજે 5 વાગ્યા સુધીમાં 32 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મોડી રાત્રે વધુ એક કામદારને બહાર કાઢવામાં આવ્યો હતો. આ પણ વાંચો :- અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ…