Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ
ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાર બાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ગતરાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું.અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે,આરોપીઓનો વરઘોડા કાઢવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે. સગીર પર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ સામે પાટીદાર…
અમદાવાદમાં મહિલાને થયો કડવો અનુભવ, હોટલનાં માલિકે મહિલાને વોશરૂમ ન જવા દેતા મામલો બિચક્યો
અમદાવાદમાં મહિલાને કડવો અનુભવ થયો છે. યુનિવર્સિટી વિસ્તારમાં પીરિયડ્સ દરમિયાન મહિલાને વોશરૂમ જવું હતું. પરંતુ હોટલના માલિકે તેને વોશરૂમનો ઉપયોગ કરવા દેવાનો ઇન્કાર કરી દીધો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, આ મહિલા થોડા દિવસ પહેલા યુનિવર્સિટી પાસેથી પસાર થતી હતી મહિલા પીરિયડ્સમાં હોવાથી વોશરૂમ જવું હતું. હોટેલ લુત્ફ નજીક હોવાથી મહિલા ત્યાં પહોંચી. પરંતુ મહિલાને હોટેલ માલિકે તેના વોશરૂમનો ઉપયોગ કરવા માટે ના પાડી દીધી. મહિલાને કડવો અનુભવ થયો હતો. હોટલ માલિકે ના પાડી અને અંતે મહિલાએ તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં અરજી કરી હતી. તો બીજી તરફ હોટેલ માલિક હરપ્રભ સીંગે જણાવ્યું હતું કે, મહિલાને વોશરૂમ ઉપયોગ કરવાનની મનાઈ નથી કરવામાં આવી. મહિલાએ દિવસે એક યુવક સાથે આવી હતી.…








