EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક અનિયમિતતાઓને લઈને તપાસ ચાલી રહી છે. ફરીથી ઈડી સમક્ષ હાજરી શક્ય 66 વર્ષીય અનિલ અંબાણી ફરી એકવાર ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ શકે છે. અગાઉ તેઓ ઓગસ્ટ 2025માં ઈડી સમક્ષ હાજર થયા હતા અને PMLA હેઠળ તેમનું નિવેદન નોંધાયું હતું. નવી એટેચમેન્ટ સાથે આ કેસમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી મિલ્કતોની કુલ કિંમત આશરે રૂ. 15,700 કરોડ સુધી પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન  જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણો પણ EDએ જપ્ત કર્યા છે. પહેલા જ જપ્ત થયેલી સંપત્તિ ED અગાઉથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ સાથે સંબંધિત ₹10,117 કરોડની સંપત્તિ જપ્ત કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ જપ્તી આશરે ₹12,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. RCOM પર લોન છેતરપિંડીના આરોપ તપાસ દરમિયાન EDએ ખુલાસો કર્યો કે અનિલ અંબાણી જૂથની કંપનીઓએ જાહેર ભંડોળનો દુરુપયોગ કર્યો અને ભંડોળને અન્ય જગ્યાએ વાપર્યું. 2017 અને 2019 વચ્ચે યસ બેન્કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જે પછી NPA બની ગયું. RCOM પર ₹40,000 કરોડથી વધુની લોન છેતરપિંડીના પણ આરોપો છે. ED જણાવે છે કે તપાસ ચાલુ છે અને ગુનામાંથી મળેલી રકમને પીડિતોને પરત કરવાના પ્રયાસો કરવામાં આવશે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં

સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વર્ષ 2015 બેચના આ IAS અધિકારી હવે આગામી 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી ED ની કસ્ટડીમાં રહેશે. મુખ્ય વિગતો અને તપાસ ED દ્વારા કોર્ટમાં કલેક્ટરના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસ માટે મંજૂરી આપી. તપાસ એજન્સીનો આરોપ છે કે રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ખેતીની જમીન બિનખેતી (NA) માટે બદલવામાં આવતી વ્યવસ્થા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. ડિસેમ્બર મહિનામાં પડેલા દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹67.5 લાખ રોકડ મળી આવી હતી, જે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સમાવિષ્ટ છે. પૂર્વભૂમિકા અને હાલની સ્થિતિ આ મામલે ભ્રષ્ટાચારના પુરાવા મળી રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ રાજેન્દ્ર પટેલની બદલી કરી દેવામાં આવી હતી. ED હવે મની લોન્ડરિંગના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કાળા નાણાંના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in

શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો? EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત ખર્ચ અને મિલકતો ખરીદવા માટે કરતા હતા. ED દ્વારા કરોડોની સંપત્તિ જપ્ત મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન EDએ મોટી માત્રામાં ગુનાહિત આવક તરીકે સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ સંપત્તિમાં સામેલ છે: ચાંદીની લગડીઓ: 110 કિલો (અંદાજે કિંમત ₹2.4 કરોડ) સોનાની લગડી: 1.296 કિલો (અંદાજે કિંમત ₹1.7 કરોડ) ચાંદીના દાગીના: 39.7 કિલો રોકડ રકમ: ભારતીય ચલણ: ₹38.8 લાખ વિદેશી ચલણ: ₹10.6 લાખ આ ઉપરાંત અનેક મિલકતોના મહત્વના દસ્તાવેજો પણ ED દ્વારા કબજે લેવામાં આવ્યા છે. SEBI નિયમોનું ઉલ્લંઘન હિમાંશુ ભાવસાર પાસે SEBIનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હોવા છતાં તેનો ગેરવપરાશ કરવામાં આવ્યો હતો. આ સર્ટિફિકેટના આધારે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રા. લિ. અને દેવકી સ્ટોક્સ પ્રા. લિ. જેવી કંપનીઓ ચલાવવામાં આવી રહી હતી, જે SEBIમાં નોંધાયેલ નહોતી. FIR બાદ EDની તપાસ મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યોમાં આ ટોળકી સામે કુલ 7 FIR નોંધાઈ ચૂકી છે. પ્રાથમિક તપાસ અનુસાર અંદાજે ₹10.87 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ

‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી, નકલી સરકારી અને ન્યાયિક દસ્તાવેજો બતાવી તેમને ડરાવ્યા હતા અને અલગ-અલગ ખાતાઓમાં ₹7 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસ દરમિયાન આ રકમમાંથી ₹5.24 કરોડ વસૂલ કરીને પીડિતને પરત કરવામાં આવ્યા છે. બાકીની રકમ મજૂરો, ડિલિવરી બોય સહિતના નામે ખોલવામાં આવેલા ખોટા અને નકલી ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જ્યાંથી પૈસા તરત ઉપાડી લેવામાં આવ્યા અથવા આગળ ટ્રાન્સફર કરાયા હતા. મહિલાની ધરપકડ, મની લોન્ડરિંગમાં સંડોવણી EDએ જણાવ્યું કે રૂમી કાલિતા નામની મહિલા છેતરપિંડીથી મળેલા નાણાં છુપાવવા અને મની લોન્ડરિંગમાં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. તેણીએ ‘મ્યુલ અકાઉન્ટ્સ’ની બેંક વિગતોનો ઉપયોગ કર્યો હતો અને બદલામાં છેતરપિંડીથી મળેલા નાણાંનો એક ભાગ મેળવ્યો હતો. મળેલા પુરાવાઓના આધારે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ રૂમી કાલિતાની ધરપકડ કરી હતી. 2 જાન્યુઆરી સુધી ED કસ્ટડી ધરપકડ બાદ EDએ ગુવાહાટી સ્થિત CJM કોર્ટમાંથી ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આરોપીને મેળવ્યા હતા. ત્યારબાદ તેણીને જલંધરની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટએ આરોપીને 2 જાન્યુઆરી, 2026 સુધી 10 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. તપાસ ચાલુ EDએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો તથા મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે. અગાઉ પણ 31 જાન્યુઆરી, 2025ના રોજ આ કેસ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 21 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મેસર્સ ચોથા બ્લોક કન્સલ્ટન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સહયોગીઓ સામે કરવામાં આવી હતી. નકલી ક્રિપ્ટો રોકાણ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડી EDને આ કેસની માહિતી કર્ણાટક પોલીસ દ્વારા નોંધાયેલી FIR અને શેર કરાયેલા ઇનપુટ્સ પરથી મળી હતી. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ પ્લેટફોર્મ તૈયાર કરીને તેને વાસ્તવિક અને વિશ્વસનીય બતાવ્યું હતું. આ પ્લેટફોર્મ પર રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી. MLM મોડેલ જેવી યોજના તપાસ મુજબ આરોપીઓની યોજના મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) જેવી હતી. શરૂઆતમાં થોડા રોકાણકારોને રકમ પરત આપી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો અને પછી તેમને વધુ લોકો જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આ રીતે મોટા પાયે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાનો દુરુપયોગ આ ગેંગે લોકોને ફસાવવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. સાથે જ, જાણીતા ક્રિપ્ટો નિષ્ણાતો અને સેલિબ્રિટીઓના ફોટા અને નામનો પરવાનગી વગર ઉપયોગ કરીને ભ્રામક જાહેરાતો ચલાવવામાં આવી હતી. ક્રિપ્ટો વોલેટથી હવાલા સુધી નાણાંની લોન્ડરિંગ EDની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટો વોલેટ, વિદેશી બેંક ખાતા અને શેલ કંપનીઓ ઉભી કરી હતી. છેતરપિંડીથી મળેલી રકમ ક્રિપ્ટોકરન્સીમાં એકત્રિત કરીને બાદમાં હવાલા, ફર્જી એન્ટ્રીઓ અને P2P ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા ભારત અને વિદેશમાં નાણાંની લોન્ડરિંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ 2015થી ચાલતી હોવાની શક્યતા તપાસમાં સામે આવી છે. ગેરકાયદેસર નફાથી ભારત તેમજ વિદેશમાં જંગમ અને સ્થાવર મિલકતો ખરીદવામાં આવી હતી. દરોડામાં મળેલા મહત્વપૂર્ણ પુરાવા દરોડા દરમિયાન EDએ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને ક્રિપ્ટો વોલેટના સરનામા શોધી કાઢ્યા છે. સાથે જ, આરોપીઓ દ્વારા વિદેશમાં ચલાવવામાં આવતા ગુપ્ત બેંક ખાતા અને કંપનીઓ વિશે પણ મહત્વની માહિતી મળી હોવાનું જણાવાયું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ જારી કરી અને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. ચૈતન્ય બઘેલ તરફથી કપિલ સિબ્બલ અને હરિહરનની દલીલ સુપ્રીમ કોર્ટમાં ચૈતન્ય બઘેલની વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એન. હરિહરન હાજર રહ્યા હતા. બંનેએ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયા અને કાયદાકીય ધોરણો પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કપિલ સિબ્બલે દલીલ કરી કે “EDએ ચૈતન્યને *‘અસહકાર’*ના આધારે ધરપકડ કરી છે, પરંતુ ક્યારેય નોટિસ કે સમન્સ મોકલવામાં આવ્યા નહોતા. નોટિસ આપ્યા વિના, માત્ર અસહકારના આધારે **PMLA (Prevention of Money Laundering Act)**ની કલમ 19 હેઠળ ધરપકડ કરી શકાતી નથી.” વકીલ હરિહરને કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે ED ધરપકડના આધારોને યોગ્ય રીતે સાબિત કરી શક્યું નથી અને તપાસની પ્રક્રિયાને બિનજરૂરી રીતે લંબાવી રહ્યું છે. તેમણે ધરપકડના આધારોને રદ કરવાની માંગ કરી. કોર્ટ અને EDનો પ્રતિભાવ સુપ્રીમ કોર્ટની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ ટિપ્પણી કરી “આ મુદ્દો માત્ર ધરપકડના આધાર વિશે નથી, પરંતુ કાયદાના અર્થઘટન સાથે સંબંધિત છે. પ્રશ્ન એ છે કે આરોપીને કેટલો સમય કસ્ટડીમાં રાખી શકાય?” કેન્દ્ર સરકાર અને ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને જણાવ્યું કે EDને તપાસ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. બેન્ચે રાજુને કહ્યું કે તેઓ ૧૦ દિવસની અંદર ED અને કેન્દ્ર સરકાર તરફથી લેખિત જવાબ દાખલ કરે. ત્યારબાદ કોર્ટ આગામી સુનાવણીની તારીખ જાહેર કરશે. પૃષ્ઠભૂમિ છત્તીસગઢના દારૂ કૌભાંડ કેસમાં EDએ અનેક રાજકીય વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ કૌભાંડમાં રાજ્ય સરકારના સમયકાળ દરમિયાન લાયસન્સ, ટેન્ડર અને ફંડની અનિયમિતતાઓના આક્ષેપો થયા હતા. અગાઉ, ૧૭ ઑક્ટોબર 2025ના રોજ છત્તીસગઢ હાઈકોર્ટે ચૈતન્ય બઘેલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આગળ શું? હાલ સુપ્રીમ કોર્ટએ ચૈતન્ય બઘેલની અરજી પર અંતિમ નિર્ણય આપ્યો નથી, પરંતુ ED અને કેન્દ્રને જવાબ આપવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો છે. આગામી સુનાવણીમાં કોર્ટ ધરપકડની કાયદેસરતા અને EDની કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in