EPF વ્યાજ દર પર મોટું સરકારનું એલાન, 8.25% વ્યાજ દર જાળવશે સરકાર

Employees’ Provident Fund Organisation (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર જાળવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, આ ત્રીજા વર્ષે પણ EPF ખાતાધારકોને એ જ વ્યાજ દરે ફાયદો થશે. EPFના 7 કરોડ ખાતાધારકોને સારા સમાચાર આ નિર્ણય EPF ખાતાધારકો માટે સારા સમાચાર છે, કેમ કે આ વર્ષે વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. EPF વ્યાજ કેવી રીતે મળે છે? EPF પર વ્યાજ દર મહિને ખાતામાં જમા થતી રકમ પર ગણવામાં આવે છે, પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂરું થતા એકસાથે જમા…

PF ધારકો માટે મોટા સમાચાર: EPFO 3.0 હેઠળ 11 મોટા ફેરફારો, પૈસા ઉપાડવું થયું વધુ સરળ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા વર્ષની મોટી ભેટ રૂપે ‘EPFO 3.0’ સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા અપગ્રેડ હેઠળ પીએફના પૈસા ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો લાખો ખાનગી કર્મચારીઓને થશે. નવા નિયમો અને બેરોજગારી/પેન્શન અપડેટ્સ: નોકરી છોડ્યા બાદ એક મહિનાની બેરોજગારી પછી તરત ૭૫% રકમ ઉપાડી શકાય છે. 100% રકમ ઉપાડવા માટે હવે 12 મહિનાની સતત બેરોજગારી જરૂરી. પેન્શન રકમ ઉપાડવા માટે મર્યાદા વધારીને 30 મહિનાથી 36 મહિના (3 વર્ષ) કરી દેવામાં આવી. લગ્ન અને શિક્ષણ માટે મોટી રાહત: શિક્ષણ માટે હવે 10 વાર સુધી પીએફમાંથી આંશિક રકમ ઉપાડી શકાય છે. લગ્ન પ્રસંગ માટે ૫ વાર સુધી ઉપાડની મંજૂરી. ઘર અને મેડિકલ ખર્ચ માટે નિયમ: ઘર ખરીદવા,…