ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કર્યા શ્રેષ્ઠ શિક્ષકોના નામ, રાજ્યના 40 શિક્ષકોનું થશે સન્માન

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ માટે રાજ્યના 40 પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનારા આ શિક્ષકોને રાજ્ય કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ થયેલી ચકાસણી અને સમિતિની ભલામણ બાદ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ ઉમેદવારોની કામગીરીનું મૂલ્યાંકન કરીને અંતિમ પસંદગી કરી હોવાનું જણાવાયું છે. ચારેય ઝોનમાંથી પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં શિક્ષકોની શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિદ્યાર્થીઓના પરિણામો, નવીન પ્રવૃત્તિઓ, શાળાના વિકાસમાં યોગદાન, સામાજિક જવાબદારી…

ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂર્ણ કરવા માટે સામાન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધારાનો સમય આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વધુ સુવિધા અને ન્યાય મળશે. નવા નિયમો મુજબ, 1 કલાકની પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાના 20 મિનિટ મળશે. જ્યારે 3 કલાકના મુખ્ય પેપર માટે તેમને લગભગ 1 કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. આ વ્યવસ્થાથી લખવામાં, વાંચવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને દ્રષ્ટિહીન અથવા દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નકશા પૂરાં કરવા કે આકૃતિ દોરવાના પ્રશ્નો…