TGBLના CEO પ્રતિક કનકિયાની ED દ્વારા ધરપકડ, 47.32 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મોટો ખુલાસો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ સામે મોટી કાર્યવાહી કરતાં ધ ગ્રીન બિલિયન્સ લિમિટેડ (TGBL)ના CEO પ્રતિક કનકિયાની ધરપકડ કરી છે. EDની મુંબઈ ઝોનલ ઓફિસે કરેલી તપાસમાં આરોપી સામે 47.32 કરોડ રૂપિયાના ગેરકાયદે નાણાંકીય વ્યવહારના આરોપો સામે આવ્યા છે. ધરપકડ બાદ પ્રતિક કનકિયાને વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 9 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. ED હવે કેસ સાથે જોડાયેલા નાણાંની ટ્રેઇલ અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. જાહેર ક્ષેત્રની કંપની પાસેથી 50 કરોડની લોનમાં છેતરપિંડી EDના જણાવ્યા મુજબ, આરોપીઓએ ભારત સરકારની જાહેર ક્ષેત્રની કંપની BECIL (Broadcast Engineering Consultants India Limited) પાસેથી લગભગ 50 કરોડ રૂપિયાની લોન છેતરપિંડીથી મેળવી હતી. લોનની શરતોનું પાલન ન થતાં BECILને ભારે નાણાકીય નુકસાન…

ઇન્ડો-મ્યાનમાર ડ્રગ્સ નેટવર્કમાં ED નો મોટો ધડાકો, ગુજરાતની ‘ક્રિશિવ એન્ટરપ્રાઇઝ’ ફર્મની સંડોવણી સામે આવી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઇન્ડો-મ્યાનમાર બોર્ડર પર સક્રિય ડ્રગ્સ નેટવર્કમાં મોટી ઉજાગરી સામે આવી છે. આ નેટવર્ક માત્ર ડ્રગ્સનું સ્મગલિંગ કરતા સીમિત નથી, પરંતુ તેનું ફાઇનાન્સ અને આંતરરાજ્ય/અંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે. ED ની તપાસમાં ગુજરાતની ‘ક્રિશિવ એન્ટરપ્રાઇઝ’ નામની ફર્મની સંડોવણી ખુલ્લી છે. આ નેટવર્ક દ્વારા સ્યુડોએફેડ્રીન ટેબ્લેટ, કેફેઈન અને હાઇડ્રસ્ જેવા મટીરીયલ સપ્લાય કરવામાં આવતાં હતા, જે મેથેમ્ફેટામાઇન બનાવવા માટે ઉપયોગી છે. મુખ્ય મટીરીયલ મ્યાનમારથી આવતો હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંડોવણી: – મિઝોરમના ઝોડીનથારા અને લાલરામપરી તથા આસામના અબુ સેફુદ્દીનના શખ્સોની હવાલા ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી – મ્યાનમારનો એક શખ્સ ભારતના GST એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરે છે તપાસના ભાગરૂપે 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે મોડી રાત્રે નિયંત્રિત વિસ્ફોટ (Controlled Blast) કરીને તેને નષ્ટ કરી દીધું છે. લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટમાં 13નાં મોત 11 નવેમ્બરની રાત્રે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસ મુજબ, કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો અને તે જ વિસ્ફોટકોથી ભરેલી કાર ફાટવાથી ઘટનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન વિસ્ફોટ સ્થળ પરથી મળેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થયા બાદ તેની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ. ઉમર…

અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય યુનિયન્સ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીને આપેલું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી AIUનો લોગો અને નામ પોતાના તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ડોકટરોની અટકાયત અને તપાસ તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા અનેક ડોકટરોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હાલ સુધી ચાર ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે – ડૉ. ઉમર ઉન નબી – ડૉ. શાહિદ – ડૉ. નિસાર-ઉલ-હસન – ડૉ. મુઝમ્મિલ આ તમામ ડોકટરો…

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ જારી કરી અને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. ચૈતન્ય બઘેલ તરફથી કપિલ સિબ્બલ અને હરિહરનની દલીલ સુપ્રીમ કોર્ટમાં ચૈતન્ય બઘેલની વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એન. હરિહરન હાજર રહ્યા હતા. બંનેએ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયા અને કાયદાકીય ધોરણો પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કપિલ સિબ્બલે દલીલ કરી કે “EDએ ચૈતન્યને *‘અસહકાર’*ના આધારે ધરપકડ કરી છે, પરંતુ ક્યારેય નોટિસ કે સમન્સ મોકલવામાં આવ્યા નહોતા. નોટિસ આપ્યા વિના, માત્ર અસહકારના…

લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ CrPCની કલમ 197(1) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ED એ ચાર્જશીટ દાખલ કરી ED રેલવેમાં નોકરી માટે જમીન કૌભાંડની તપાસ કરી રહી છે. ED એ ગયા વર્ષે ઓગસ્ટમાં 76 વર્ષીય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, તેમના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો…