ભારતીય શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’, 10 સેકન્ડમાં જ 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ લાગુ થયા પછી, વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક પ્રભાવથી બચી શક્યું નથી. સોમવાર, 7 એપ્રિલના રોજ, ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક, BSE સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા. કોવિડ-૧૯ પછી ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.   ભારતીય શેરબજારમાં મોટાભાગની કંપનીઓ લાલ નિશાનમાં ખુલી:- આ ભારે ઘટાડામાં,…

પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની નીતિઓને કારણે વિશ્વભરના દેશો તણાવમાં છે. ટ્રમ્પની ‘પારસ્પરિક ટેરિફ’ એટલે કે ‘ટિટ ફોર ટેટ’ ટેરિફ નીતિથી બચવા માટે ઘણા દેશો વ્હાઇટ હાઉસના દરવાજા ખટખટાવી રહ્યા છે. ટ્રમ્પે પોતે આ વાત કહી છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ આ દેશો સાથે અલગ કરારો પર વાટાઘાટો કરવા તૈયાર છે. આ પણ વાંચો :- મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે બ્રિટન સહિત ઘણા દેશોએ પારસ્પરિક ટેરિફ ટાળવા અને નવા ટેરિફ સોદા પર પહોંચવા માટે અમેરિકાનો સંપર્ક કર્યો છે. પરંતુ આવા સોદાઓ પર તેમના વહીવટીતંત્ર દ્વારા 2 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ લાગુ કરવામાં આવે તે પછી…

અમેરિકામાં ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પણ પરેશાન, કડક તપાસ-પૂછપરછનો કરવો પડી રહ્યો છે સામનો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવવા માટે દરરોજ નવા નિર્ણયો લઈ રહ્યું છે. 20 જાન્યુઆરી, 2025 ના રોજ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. પરંતુ તેમના આ પગલાથી અમેરિકામાં રહેતા ગ્રીન કાર્ડ ધારકો અને H-1B વિઝા ધારકોને અસર થઈ રહી છે. ખાસ કરીને જ્યારે તે વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.. આ પણ વાચો :- હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર પાછળનું કારણ આવ્યું સામે, લેવાઇ શકે છે કડક પગલા ત્યાંના કેટલાક ભારતીયોએ આ મામલે બોલતા જણાવ્યું કે “ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકન ન્યાયિક પ્રણાલીની અવગણના કરીને દેશના કાયદાને પોતાના હાથમાં લઈ રહ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું…

ઝેલેન્સકીએ કહ્યું પુતિન યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ ટ્રમ્પના ડરથી….

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે ખચકાટ દર્શાવવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી છે. આ સાથે, તેમણે પુતિન પર યુદ્ધવિરામમાં છેડછાડ કરવાનો અને મુશ્કેલીઓ ઊભી કરવાનો આરોપ પણ લગાવ્યો. ઝેલેન્સકીએ યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે પુતિનના વલણને ચાલાકીભર્યું ગણાવ્યું. તેમણે કહ્યું કે પુતિન વાસ્તવમાં યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ તેઓ આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવા માંગતા નથી. આ પણ વાંચો :- પુતિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી, જાણો કઇ બાબતે થઇ ચર્ચા ઝેલેન્સકીએ પુતિન પર આરોપ લગાવ્યો કે તેઓ ખરેખર યુદ્ધવિરામનો ઇનકાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધું કહેવાથી ડરતા હતા કે તેઓ યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. યુક્રેન…

ટ્રંપે કહ્યું ભારત ટેરીફ ઘટાડવા સંમત થયું, ભારતે કહ્યું હજુ વાતચીત ચાલું છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો કારણ કે તેમણે દાવો કર્યો હતો કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. બીજી તરફ, ભારતનું કહેવું છે કે અત્યાર સુધી આવી કોઇ સમજુતી થઇ નથી. હકીકતમાં, ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારત ટેરિફ ઘટાડા પર સંમત થયું છે. જ્યારે ભારતનું કહેવું છે કે આ મુદ્દે અમેરિકા સાથે હજુ સુધી કોઈ કરાર થયો નથી, બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે. ટ્રમ્પના દાવાના બે દિવસ પછી, ભારત સરકારે સોમવારે સંસદીય પેનલને આ વાત જણાવી. સરકારે કહ્યું કે વેપાર ડ્યુટી અંગે કોઈ કરાર થયો નથી. આ મુદ્દાના ઉકેલ માટે સપ્ટેમ્બર સુધીનો સમય માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં…

યુક્રેન પાસેથી શું-શું મેળવવા માંગે છે અમેરિકા, જાણો યુક્રેનનો ખનીજ ભંડાર અને ટ્રમ્પનો પ્લાન

વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો બદલાયેલો પક્ષ જોવા મળ્યો. જ્યારે ઝેલેન્સકીએ અગાઉ કહ્યું હતું કે યુક્રેનની ભાગીદારી વિના કોઈ કરાર થશે નહીં, પરંતુ અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરતા જ ઝેલેન્સકીનું વલણ નરમ પડ્યું અને તેઓ ટ્રમ્પના નેતૃત્વમાં કરાર પર પહોંચવા સંમત થયા. આ માટે ઝેલેન્સકીએ યુક્રેનના ખનિજ ભંડાર અમેરિકાને સોંપવાની પણ જાહેરાત કરી છે. જોકે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે અમેરિકા બદલામાં સુરક્ષા ગેરંટી આપે, જેના માટે ટ્રમ્પ હજુ સુધી સંમત થયા નથી. આ પણ વાંચો :- વડાપ્રધાનપદ સંભાળતાજ માર્ક કાનેનો હુંકાર, કહ્યું ‘કેનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો નહીં બને’ યુક્રેનમાં લિથિયમ, ટાઇટેનિયમ, ગેલિયમ, મેંગેનીઝ, યુરેનિયમ અને કોબાલ્ટ જેવા ઘણા ખનિજોનો ભંડાર છે. ટ્રમ્પ આ ખનિજ ભંડારો…

વડાપ્રધાનપદ સંભાળતાજ માર્ક કાનેનો હુંકાર, કહ્યું ‘કેનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો નહીં બને’

કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને કેનેડાના આગામી નેતા અને વડા પ્રધાન તરીકે જાહેર કર્યા છે. પીએમ ચૂંટણી જીત્યા પછી તરત જ, માર્ક કાર્નેએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કાર્ને, જેમણે અગાઉ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર તરીકે સેવા આપી હતી, તેમણે 85 ટકાથી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્વ જીત્યું. આ પણ વાંચો :- પ્રતિબંધોમાં રાહત આપશે કે ટેરીફ લાદશે, રશિયાને લઇને ટ્રમ્પના વલણ પર સમગ્ર વિશ્વની નજર ‘કેનેડા ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ નહીં બને’ :- કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે નામાંકિત થયાના થોડા સમય પછી, માર્ક કાર્નેએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેમના સંબંધો અંગેના તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના ટ્રમ્પના નિવેદનના જવાબમાં, કાર્નેએ…

H-1B વિઝા ધારકોના બાળકોને નાગરિકતાનો નિયમ નાબુદ થતા અમેરિકામાં રહેતા હજ્જારો ભારતીયોને અસર

તમે H-1B વિઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વિઝા વિદેશીઓ માટે, ખાસ કરીને ભારતીય નાગરિકો માટે, જેઓ અમેરિકામાં કામ કરવા માંગે છે, એક મોટું સ્વપ્ન છે. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આના કારણે લાખો લોકોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં અટવાઈ ગયું છે. H-1B વિઝા ધારકો અને તેમના બાળકો, જેઓ પહેલા અમેરિકામાં સ્થાયી થવા તરફ આગળ વધી રહ્યા હતા, તેઓ હવે નવા નિયમોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. H-1B વિઝા એ અમેરિકાનો નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે વિદેશી નાગરિકોને ત્યાં કામ કરવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી, આરોગ્ય અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો દ્વારા કરવામાં આવે છે. આ વિઝા ધારકો થોડા વર્ષો સુધી અમેરિકામાં કાયદેસર…

તમે સૂટ કેમ નથી પહેર્યો, શું તમારી પાસે સૂટ પણ નથી ? અમેરિકન પત્રકારે કર્યુ અપમાન, ઝેલેન્સકીએ આપ્યો આ જવાબ

શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની વ્હાઇટ હાઉસ ખાતે ઓવલ ઓફિસની મુલાકાત કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સમગ્ર મીડિયાની સામે ઝેલેન્સકીને ઠપકો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે અમેરિકાની મદદ વિના તેઓ રશિયા સામે એક અઠવાડિયા પણ ટકી શકશે નહીં. ફક્ત ટ્રમ્પ અને જેડી વાન્સ જ નહીં, પરંતુ અમેરિકન પત્રકારોએ પણ ઝેલેન્સકીને એવા પ્રશ્નો પૂછ્યા જે ખૂબ જ અપમાનજનક કહી શકાય. જોકે, ઝેલેન્સકીએ ગુસ્સે થયા વિના નમ્રતાથી જવાબ આપવાનો પ્રયાસ કર્યો. આ પણ વાંચો :- જેલેન્સકી પહોંચ્યા અમેરિકા, ખનીજ સંપતિને લઇને ટ્રમ્પ સાથે મોટી ડિલ થાય તેવી સંભાવના પત્રકારે અપમાનજનક પ્રશ્ન પૂછ્યો :- આવા જ એક અમેરિકન પત્રકારે ઝેલેન્સકીને પૂછ્યું કે તેમણે સૂટ કેમ નથી પહેર્યો? પત્રકારે કહ્યું કે તમે આ…

અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઝેલેન્સકી પર તેમનો આદર ન કરવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે તેમના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે થયેલી અથડામણ પછી યુક્રેન પ્રત્યે વધુ સમર્થન દર્શાવે. વોલોડીમીર ઝેલેન્સકીએ પોતાના નિવેદનમાં આ વાત કહી :- “અલબત્ત, બંને દેશો વચ્ચેના સંબંધો સુધારી શકાય છે,” ઝેલેન્સકીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સને ભાગીદાર તરીકે ગુમાવવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ખરેખર ઇચ્છે છે કે ટ્રમ્પ આપણા પક્ષમાં રહે. ઝેલેન્સકીએ કહ્યું કે…