જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…
EPFO 3.0: ‘ગુડ ન્યુઝ’! હવે ATMમાંથી જ ઉપાડી શકાશે PFના પૈસા
EPFO (Employees’ Provident Fund Organisation)ના 9 કરોડથી વધુ સભ્યો માટે ખુશખબર છે. EPFO ટૂંક સમયમાં ડિજિટલ યૂગમાં મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે EPFO નું નવું IT પ્લેટફોર્મ EPFO 3.0 મે કે જૂન 2025 સુધી લોન્ચ થવાનું છે. EPFO 3.0ના અમલ પછી, ખાટાધારકોને પેપરલેસ, ઝડપી અને સરળ સેવાઓ મળશે. સૌથી ખાસ વાત એ છે કે હવે સભ્યો ATM મારફતે તેમના PFના પૈસા ઉપાડી શકશે – જે આજ સુધી માત્ર કાગળની પ્રક્રિયાથી જ શક્ય હતું. શું હશે EPFO 3.0 ની ખાસિયતો? – ATM મારફતે PF ઉપાડવાની સુવિધા – ઓટો-ક્લેમ સેટલમેન્ટ (Auto-Claim Settlement) – ડિજિટલ કરેક્શન – એટલે કે ઓનલાઈન સુધારાઓ – OTP દ્વારા ખાતામાં ફેરફારની સુવિધા…








