Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં, સરખેજમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર

અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. યાદી મુજબ એક બાદ એક તમામ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉજાલા સર્કલ પાસે રહેતા બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ સરખેજ ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ પાંચ બુટલેગરો સામે સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની…

Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝ ફેરવવામાં આવ્યું છે. SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માળીયા મિયાણામાં ફારુક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ પણ વાંચો :- Sabarkantha : સાબરકાંઠામાં લાંચિયો ઉપ સરપંચ ઝડપાયો, ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે 16 હજારની માગી હતી લાંચ મહત્વનું છે કે, ફારુક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પડવામાં આવી છે. મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ડિમોલિશનની કામગીરીને લઇ માળીયાના મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમ સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે…