આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ હવામાન રહેશે અને આગામી પાંચ દિવસ માટે મોટું હવામાન ફેરફાર શક્ય નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. ત્યારે કેરળ અને તમિલનાડુમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવે છે કે 12 થી 18 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં હળવો થી મધ્યમ વરસાદ રહેશે, અને કેટલીક જગ્યાએ…
ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક
ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું…
AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કૌભાંડ સાથે સંબંધિત કેસ નોંધ્યો છે. જેમાં અંદાજે 2000 કરોડનું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ACB એ કેસ નોંધ્યો છે. દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન 12,748 વર્ગખંડો અને સંબંધિત ઇમારતોના બાંધકામ સાથે સંબંધિત આ કેસ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-A હેઠળ સક્ષમ અધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ACB એ કેસ નોંધ્યો. એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટમાં નોંધપાત્ર અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.…
ભાજપ સામે લડ્યા વિના AAPએ હાર કેમ સ્વીકારી? જાણો દિલ્હી MCDનું શું છે ગણિત
આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં એક મોટો નિર્ણય લીધો છે અને MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) માં મેયરની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. AAP એ સ્વીકાર્યું કે 2022 ની MCD ચૂંટણીમાં જીત હવે તેના હાથમાંથી સરકી ગઈ છે અને બહુમતી હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથમાં છે. આપના દિલ્હી કન્વીનર સૌરભ ભારદ્વાજ અને ભૂતપૂર્વ સીએમ આતિશી માર્લેનાએ સોમવારે સવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મેયરની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભા રાખશે નહીં. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26 કાર્યકાળ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી 25 એપ્રિલ 2025 ના રોજ યોજાવાની છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં, AAP ની હાર અને ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં, લડવા અને હારવાને બદલે, AAP એ લડ્યા…
દિલ્હી: 600 શાળાઓ સામે ફી વધારાને લઇ મોટી કાર્યવાહી, હાઇકોર્ટે આપ્યો ઠપકો
દિલ્હી શહેરમાં હાલ શાળાઓમાં ફી વધારા અને વિવાદોને લઈને ભારે ઉથલપુથલ મચી ગઈ છે. 600થી વધુ ખાનગી શાળાઓમાં શિક્ષણ ખર્ચના વધારાને લઈને વર્તમાન સમયમાં લોકો, ખાસ કરીને બાળકોના વાલીઓ, ભારે ગુસ્સામાં છે. આ અંગે આજકાલ આમ આદમી પાર્ટી (AAP) પણ તેજીથી સરકાર પર દબાણ બનાવી રહી છે, ત્યારે દિલ્હીના ઊર્જા મંત્રી આશિષ સૂદે સરકારે આ મામલામાં કડક પગલાં ભરવાનું સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટે ફી વધારાને લઈને સખત ઠપકો આપ્યો દિલ્હીની હાઈકોર્ટએ DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ)ને તીવ્ર ઠપકો આપ્યો છે. કોર્ટએ શાળાની કાર્યપદ્ધતિને પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે આક્ષેપ કર્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે થયેલા અમાનવીય વર્તન પર ન્યાયાધીશ સચિન દત્તાએ જણાવ્યું હતું કે શાળાએ વિદ્યાર્થીઓ સાથે શરમજનક અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા વ્યવહારો કર્યા. આ સમયે,…
Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 121 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર બગલાન શહેરથી 164 કિલોમીટર પૂર્વમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે લગભગ 4:44 વાગ્યે (ભારતીય સમય) આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાન કે ભારતમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. જોકે, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લોકોએ હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા અનુભવ્યા. EQ of M: 5.9, On: 16/04/2025 04:43:58 IST, Lat: 35.83 N, Long: 70.60 E, Depth: 75 Km, Location:…
તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ
NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી તેની કસ્ટડી માંગવામાં આવશે. પૂછપરછની આ પ્રક્રિયા ઘણા અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેમાં મુંબઈ હુમલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક વિશે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. ભારત લાવ્યા બાદ, તહવ્વુરને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાણાને જેલમાં રાખવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે જેથી રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને અમેરિકન…
સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર-ભગત સિંહની તસવીર હટાવવા બાદ AAP એ રોષ વ્યક્ત કર્યો…
દિલ્હી વિધાનસભા સમાચાર: દિલ્હીમાં વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આનાથી ભાજપની દલિત વિરોધી રાજનીતિનો પર્દાફાશ થાય છે. વિપક્ષના નેતા આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા, ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે, AAP વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે. AAP એ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયમાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ…
દિલ્હીના નવા CM રેખા ગુપ્તાએ પૂર્વની AAP સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું
શાલીમારથી ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી, રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. રેખા ગુપ્તાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “મને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હું ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું, જેમણે એક સરળ પરિવારની પુત્રી પર વિશ્વાસ દર્શાવ્યો અને મને આટલી મોટી જવાબદારી સોંપી. દિલ્હી દેશની રાજધાની છે અને તેની જવાબદારી મને સોંપવામાં આવી છે. હું ચોક્કસપણે મારી બધી ક્ષમતાઓ, શક્તિ અને પ્રામાણિકતા સાથે આ જવાબદારીઓ પૂર્ણ કરીશ. રેખા ગુપ્તાએ કહ્યું, “દિલ્હી માટે મારી બે પ્રાથમિકતાઓ છે. પહેલી પ્રાથમિકતા એ છે કે અમે અમારી સરકાર વતી લોકોને આપેલા…
દિલ્હીમાં 4.0ની તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા, ભયના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા, વડાપ્રધાને કરી લોકોને અપીલ
આજે સવારે ૫.૩૬ વાગ્યે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. શરૂઆતની માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆન નજીક લેક પાર્ક નજીક હતું. ભૂકંપ એટલા જોરદાર હતા કે ઇમારતો ધ્રુજવા લાગી અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ મોટા અવાજો સાથે અહીં-ત્યાં ઉડવા લાગ્યા. તેનું કેન્દ્ર નવી દિલ્હીમાં જમીનથી પાંચ કિલોમીટર નીચે હતું. તે ૨૮.૫૯ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ઓછી ઊંડાઈ અને કેન્દ્ર દિલ્હીમાં હોવાથી, તેની અસર દિલ્હી-એનસીઆરમાં વધુ અનુભવાઈ. -> યુપી અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા :- દિલ્હી-એનસીઆરની સાથે, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, સહારનપુર, અલવર, મથુરા અને આગ્રામાં…
















