Delhi Turkmen Gate હિંસા : 30 પથ્થરમારોની ઓળખ, 450 વીડિયો સ્કેન થઈ રહ્યા

તુર્કમાન ગેટ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસામાં દિલ્લી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. હિંસામાં સામેલ લગભગ 30 પથ્થરમારોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડવા માં લાગી છે. 450થી વધુ વિડિઓ ફૂટેજ સ્કેન પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 450થી વધુ CCTV, બોડીકેમ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓઝ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી હિંસામાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ કરી શકાય. પ્રાથમિક તપાસમાં ખુલાસો તપાસમાં ખબર પડી છે કે હિંસામાં ફક્ત તુર્કમાન ગેટના સ્થાનિક લોકો જ નહીં, પરંતુ બહારના વિસ્તારોમાંથી આવેલા લોકો પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે ખોટી સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવીને લોકોને ઉશ્કેરવામાં આવ્યું હતું, ખાસ કરીને એવી…

DRIએ સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, 40 કરોડનું સોનું અને 2.9 કરોડ રોકડ જપ્ત

અમદાવાદમાં સોનાની દાણચોરીની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દિલ્હી અને અગરતલામાં સમકક્ષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 29.2 કિલો વિદેશી મૂળનું સોનું અને 2.9 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. સોનાની કિંમત લગભગ 40 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. દુબઈ અને બાંગ્લાદેશથી સોનું ભારતમાં ઘૂસાડાતું DRIની તપાસમાં ખુલાસો થયો કે દુબઈ અને બાંગ્લાદેશથી સોનું કાયદે બહારના રસ્તાઓથી ભારતમાં ઘૂસાડવામાં આવતું હતું. વધુમાં, ત્રિપુરા બોર્ડર પરથી પણ આ ધંધામાં સોનાની દાણચોરી થતી હોવાનું સામે આવ્યું છે. ચાર શખ્સોની ધરપકડ અંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક સાથે સંકળાયેલા અગરતલાના જ્વેલર્સ સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજુ ચાલુ છે અને સિન્ડિકેટના અન્ય સભ્યોની શોધખોળ પણ ચાલી રહી છે. દાણચોરીના સિન્ડિકેટ પર…

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત હવે સ્થિર છે અને તેઓ છાતીના નિષ્ણાતની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા લાંબા સમયથી ઉધરસથી પીડાઈ રહ્યા છે અને તેઓ સમયાંતરે તપાસ માટે આવતા રહે છે, ખાસ કરીને શહેરમાં પ્રદૂષણને કારણે. સૂત્રએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને સોમવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2025 માં તેમનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો. સર ગંગા રામ હોસ્પિટલના ચેરમેન ડૉ. અજય સ્વરૂપના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, અને તબીબી તપાસમાં…

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ ! જાણો કોણે છે અવિવા બેગ

રાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સંસદ સભ્ય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રેહાને તેની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રેહાન વાડ્રા અને અવિવા છેલ્લા સાત વર્ષથી રિલેશનશિપમાં છે. રેહાને તાજેતરમાં જ અવિવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ તેમના લગ્ન માટે સંમતિ આપી દીધી છે. તેમની સંમતિ પછી બાદ બન્નેની સગાઈ કરવામાં આવશે. લગ્નની તારીખ હજુ નક્કી નથી થઈ રેહાન અને અવિવા બેગ જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરશે તેવું કહેવાય છે. જોકે બંને પરિવારો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તૈયારીઓ પહેલાથી જ શરૂ…

દિલ્હી હાઈકોર્ટે પ્રદૂષણ અંગે સરકારને લગાવી ફટકાર, જાણો શું કહ્યું

દિલ્હી હાઈકોર્ટે બુધવારે એર પ્યુરિફાયર્સને તબીબી ઉપકરણો તરીકે ફરીથી વર્ગીકૃત કરવા અને GST દર 18% થી ઘટાડીને 5% કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સંકટને ઉકેલવામાં નિષ્ફળતા બદલ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો. જાહેર આરોગ્ય સંકટ વચ્ચે હાઈકોર્ટે એર પ્યુરિફાયર પરના 18% GST દર પર પ્રશ્ન ઉઠાવ્યો. દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે જો અધિકારીઓ નાગરિકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા પૂરી પાડી શકતા નથી, તો તેઓ ઓછામાં ઓછા એર પ્યુરિફાયર પરનો GST ઘટાડી શકે છે. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું, “આ સમયમર્યાદાનો શું અર્થ છે? જ્યારે હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે દરેક નાગરિકને સ્વચ્છ હવાની જરૂર છે, અને તમે તે પૂરી પાડવામાં નિષ્ફળ ગયા છો.” બુધવારે દિલ્હીમાં હવા કેવી…

દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે

મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર સંજ્ઞાન (ધ્યાન) આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટે એ પણ ચુકાદો આપ્યો કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય આરોપીઓ FIR ની નકલ મેળવવાના હકદાર નથી. કોર્ટે ED ને તેની તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી, સ્પષ્ટતા કરી કે ED ને વધુ તપાસ કરવાની સ્વતંત્રતા છે. તેણે એમ પણ કહ્યું કે ED નો કેસ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદ અને મેજિસ્ટ્રેટના સમન્સના આદેશો પર આધારિત છે, FIR પર નહીં. જો કે, એજન્સી કેસ સંબંધિત તથ્યો અને પુરાવા એકત્રિત કરવાનું ચાલુ…

કિરણ બેદીએ પીએમ મોદીની માફી કેમ માંગી? દિલ્હીમાં AQI મામલે જાણો શું કહ્યું

ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી કિરણ બેદીએ દિલ્હીમાં વધતી જતી વાયુ પ્રદૂષણની પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. બેદીએ તેમના ‘મન કી બાત’ સંબોધન દરમિયાન વડા પ્રધાનને આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી અને વડાપ્રધાનની માફી પણ માંગી. કિરણ બેદીનો સંદેશ એવા દિવસે આવ્યો જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં એકંદરે AQI 369 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. કિરણ બેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના “મન કી બાત” સંબોધન દરમિયાન આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી. બેદીએ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે પીએમ મોદીના અસરકારક ઝૂમ સત્રોનો પણ ઉલ્લેખ કર્યો. બેદીના ટ્વીટમાં લખ્યું હતું કે, “સાહેબ, કૃપા કરીને મને આ વિનંતી વારંવાર કરવા બદલ માફ કરો. પરંતુ…

ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં થઈ રહી છે 13 લોકોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટ મંગળવારે આવવાની અપેક્ષા છે. આ રિપોર્ટમાં જપ્ત કરાયેલી વસ્તુઓની પ્રકૃતિ અને રચના વિશે સ્પષ્ટ માહિતી મળવાની અપેક્ષા છે. હાલમાં, વિસ્ફોટના સંબંધમાં 13 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસેથી ફરીદાબાદમાંથી મળી આવેલા વિસ્ફોટકો અંગે માહિતી માંગી છે. સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં એમોનિયમ નાઈટ્રેટના નિશાન મળી આવ્યા હોવાનું જણાય છે. જોકે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટ આવ્યા પછી જ વિસ્ફોટકોની ચોક્કસ વિગત સામે આવશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટનો કોઈ સંકેત મળ્યો…