દિલ્હી હાઈકોર્ટે પ્રદૂષણ અંગે સરકારને લગાવી ફટકાર, જાણો શું કહ્યું
દિલ્હી હાઈકોર્ટે બુધવારે એર પ્યુરિફાયર્સને તબીબી ઉપકરણો તરીકે ફરીથી વર્ગીકૃત કરવા અને GST દર 18% થી ઘટાડીને 5% કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સંકટને ઉકેલવામાં નિષ્ફળતા બદલ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો. જાહેર આરોગ્ય સંકટ વચ્ચે હાઈકોર્ટે એર પ્યુરિફાયર પરના 18% GST દર પર પ્રશ્ન ઉઠાવ્યો. દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે જો અધિકારીઓ નાગરિકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા પૂરી પાડી શકતા નથી, તો તેઓ ઓછામાં ઓછા એર પ્યુરિફાયર પરનો GST ઘટાડી શકે છે. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું, “આ સમયમર્યાદાનો શું અર્થ છે? જ્યારે હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે દરેક નાગરિકને સ્વચ્છ હવાની જરૂર છે, અને તમે તે પૂરી પાડવામાં નિષ્ફળ ગયા છો.” બુધવારે દિલ્હીમાં હવા કેવી…
દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?
દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે
મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર સંજ્ઞાન (ધ્યાન) આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટે એ પણ ચુકાદો આપ્યો કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય આરોપીઓ FIR ની નકલ મેળવવાના હકદાર નથી. કોર્ટે ED ને તેની તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી, સ્પષ્ટતા કરી કે ED ને વધુ તપાસ કરવાની સ્વતંત્રતા છે. તેણે એમ પણ કહ્યું કે ED નો કેસ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદ અને મેજિસ્ટ્રેટના સમન્સના આદેશો પર આધારિત છે, FIR પર નહીં. જો કે, એજન્સી કેસ સંબંધિત તથ્યો અને પુરાવા એકત્રિત કરવાનું ચાલુ…
કિરણ બેદીએ પીએમ મોદીની માફી કેમ માંગી? દિલ્હીમાં AQI મામલે જાણો શું કહ્યું
ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી કિરણ બેદીએ દિલ્હીમાં વધતી જતી વાયુ પ્રદૂષણની પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. બેદીએ તેમના ‘મન કી બાત’ સંબોધન દરમિયાન વડા પ્રધાનને આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી અને વડાપ્રધાનની માફી પણ માંગી. કિરણ બેદીનો સંદેશ એવા દિવસે આવ્યો જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં એકંદરે AQI 369 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. કિરણ બેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના “મન કી બાત” સંબોધન દરમિયાન આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી. બેદીએ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે પીએમ મોદીના અસરકારક ઝૂમ સત્રોનો પણ ઉલ્લેખ કર્યો. બેદીના ટ્વીટમાં લખ્યું હતું કે, “સાહેબ, કૃપા કરીને મને આ વિનંતી વારંવાર કરવા બદલ માફ કરો. પરંતુ…
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં થઈ રહી છે 13 લોકોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટ મંગળવારે આવવાની અપેક્ષા છે. આ રિપોર્ટમાં જપ્ત કરાયેલી વસ્તુઓની પ્રકૃતિ અને રચના વિશે સ્પષ્ટ માહિતી મળવાની અપેક્ષા છે. હાલમાં, વિસ્ફોટના સંબંધમાં 13 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસેથી ફરીદાબાદમાંથી મળી આવેલા વિસ્ફોટકો અંગે માહિતી માંગી છે. સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં એમોનિયમ નાઈટ્રેટના નિશાન મળી આવ્યા હોવાનું જણાય છે. જોકે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટ આવ્યા પછી જ વિસ્ફોટકોની ચોક્કસ વિગત સામે આવશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટનો કોઈ સંકેત મળ્યો…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ હવામાન રહેશે અને આગામી પાંચ દિવસ માટે મોટું હવામાન ફેરફાર શક્ય નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. ત્યારે કેરળ અને તમિલનાડુમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવે છે કે 12 થી 18 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં હળવો થી મધ્યમ વરસાદ રહેશે, અને કેટલીક જગ્યાએ…
ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક
ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું…
AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કૌભાંડ સાથે સંબંધિત કેસ નોંધ્યો છે. જેમાં અંદાજે 2000 કરોડનું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ACB એ કેસ નોંધ્યો છે. દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન 12,748 વર્ગખંડો અને સંબંધિત ઇમારતોના બાંધકામ સાથે સંબંધિત આ કેસ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-A હેઠળ સક્ષમ અધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ACB એ કેસ નોંધ્યો. એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટમાં નોંધપાત્ર અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.…
ભાજપ સામે લડ્યા વિના AAPએ હાર કેમ સ્વીકારી? જાણો દિલ્હી MCDનું શું છે ગણિત
આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં એક મોટો નિર્ણય લીધો છે અને MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) માં મેયરની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. AAP એ સ્વીકાર્યું કે 2022 ની MCD ચૂંટણીમાં જીત હવે તેના હાથમાંથી સરકી ગઈ છે અને બહુમતી હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથમાં છે. આપના દિલ્હી કન્વીનર સૌરભ ભારદ્વાજ અને ભૂતપૂર્વ સીએમ આતિશી માર્લેનાએ સોમવારે સવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મેયરની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભા રાખશે નહીં. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26 કાર્યકાળ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી 25 એપ્રિલ 2025 ના રોજ યોજાવાની છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં, AAP ની હાર અને ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં, લડવા અને હારવાને બદલે, AAP એ લડ્યા…
















