બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાએ ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ખાલિદા ઝિયાના પક્ષ, બીએનપી, એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, બીએનપીએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને થોડા સમય પહેલા મૃત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયાએ સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બીએનપીની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પૂર્વ વડા પ્રધાન ખાલિદાની તબિયત 29-30 ડિસેમ્બરની રાત્રે બગડી ગઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેમને સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. કતારથી એક…

નાંદોદમાં બે અકસ્માત: એકનું મોત, એકને ગંભીર ઇજા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક વ્યક્તિના મોત નીપજ્યા અને બીજી વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. પોલીસએ બંને મામલામાં ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 1: શહેરાવગામમાં અકસ્માત અંકિતભાઈ ધીરુભાઈ તેજાણી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શહેરાવગામ ગામના રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના માતા પિતા ઉપર ટક્કર મારી હતી. આ ઘટના દરમિયાન પિતાજી ધીરુભાઈ મોહનભાઈ તેજાણીને ગંભીર ઇજા પહોંચી અને સારવાર દરમિયાન સુરત એઈમ્સ હોસ્પિટલમાં મોત નીપજ્યું. માતા ઉર્મીલાબેનને પણ ઇજા પહોંચી હતી. આ મામલે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 2: કુમસગામના ત્રણ રસ્તા પર બીજો અકસ્માત કુમસગામના ત્રણ રસ્તા પર થયો. મિતેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 18) અને અલ્પેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 20) પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ પર અંકલેશ્વર તરફ…

Himachal: બિલાસપુરમાં બસની છત પર પડ્યો ભૂસ્ખલનનો કાટમાળ, 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

છત્તીસગઢના બિલાસપુરમાં બલ્લુ પુલ પાસે ભૂસ્ખલન થયું. એક બસ ભારે કાટમાળ નીચે દટાઈ ગઈ. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના અહેવાલ છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, અકસ્માત પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો કાટમાળ સાફ કરવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. બસમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મુખ્યમંત્રીએ બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો મુખ્યમંત્રી ઠાકુર સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે…

આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 15 જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે. પરિપત્રમાં મોકડ્રીલ દરમિયાન લેવાના પગલાંની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયતો અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામ્ય સ્તર સુધી આ કવાયતનું આયોજન કરવાનું આયોજન છે.’ આ કવાયતનો ઉદ્દેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ મશીનરીની તૈયારીનું મૂલ્યાંકન અને વધારો કરવાનો છે. વર્ષ 1971 બાદ પ્રથમ…

Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની વિગત: કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક…

ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો

ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. –: આરોપી પોલીસ સકંજામાં :- પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ…

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં બ્લાસ્ટ, 1 વ્યક્તિ ગંભીર ઘાયલ, 3ને સામાન્ય ઇજા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનમાં શુક્રવારે નમાજ દરમિયાન એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના જિલ્લા વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. ધ ડોનના અહેવાલ મુજબ, જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરે જણાવ્યું હતું કે વિસ્ફોટ આઝમ વારસક બાયપાસ રોડ પર મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયો હતો. આ પણ વાંચો :- બાબર આઝમની ટીકા કરવા બદલ પાકિસ્તાનમાં આ ખેલાડીને કહેવામાં આવી રહ્યો છે દેશદ્રોહી બપોરે 1:45 વાગ્યે, મસ્જિદના વ્યાસપીઠમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ મૂકવામાં આવ્યું હતું, જે શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ કરવામાં આવ્યું હતું. ડીપીઓના જણાવ્યા અનુસાર, અન્ય ત્રણ ઘાયલ વ્યક્તિઓની ઓળખ રહેમાનઉલ્લાહ, મુલ્લા નૂર અને શાહ બહેરાન તરીકે થઈ છે. બધા ઘાયલોને…

Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી ફતેહવાડીમાં મેટ્રો યાર્ડ પાસે કેનાલમાંથી યક્ષ પંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાસેના વિસ્તારમાંથી યશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી સ્કોર્પિયો નહેરમાં પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય મિત્રોએ દોરડું ફેંકીને ત્રણેય યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જે બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્કોર્પિયો કાર નહેરમાં પડી જવા અને ત્રણ…

કિમ સે રોનનું મૃત્યુ: દક્ષિણ કોરિયન અભિનેત્રી કિમ સે રોન ઘરે મૃત હાલતમાં મળી આવી, માત્ર 24 વર્ષની ઉંમરે અલવિદા કર્યુ

દક્ષિણ કોરિયાની પ્રખ્યાત અભિનેત્રી કિમ સે રોનનું 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ અવસાન થયું. આ અભિનેત્રી તેના સિઓલ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. કિમે માત્ર 24 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.તમને જણાવી દઈએ કે કિમ તાજેતરમાં નેટફ્લિક્સ શો બ્લડહાઉન્ડ્સમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, કિમનો મૃતદેહ સિઓલના સોંગડોંગ-ગુ સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો હતો, જેને તેના એક મિત્રએ જોયો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાં કોઈ પણ પ્રકારના સંકેત મળ્યા ન હતા.કિમના મૃત્યુથી કોરિયન મનોરંજન ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસ તપાસ ચાલુ છે અને મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.…

નોરા ફતેહી: ખાડામાં પડી જવાથી નોરા ફતેહીનું મોત? વાયરલ વીડિયોનું સંપૂર્ણ સત્ય જાણો

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નોરા ફતેહીને આજે કોઈ પરિચયની જરૂર નથી. નોરા ઘણીવાર તેની ફિટનેસ, ડાન્સિંગ અને એક્ટિંગ માટે હેડલાઇન્સમાં રહે છે. બોલિવૂડ તેમજ હોલીવુડમાં પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવનાર નોરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ચાહકોને તેનો ડાન્સ ખૂબ ગમે છે. તાજેતરમાં નોરા ફતેહીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વીડિયોમાં દેખાતી મહિલા નોરા ફતેહી છે અને તે ખાડામાં પડી ગઈ, જેમાં તેણીનો જીવ ગયો. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બંજી જમ્પિંગ કરતી વખતે એક છોકરી ખાડામાં પડી જાય છે અને તેનું મૃત્યુ થાય…