ઝાકિર હુસૈનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં : અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અક્ષય સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. 15 ડિસેમ્બરે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. ઝાકિર 73 વર્ષના હતા. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ ફેફસાં સંબંધિત ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ રોગને કારણે થયું હતું. જાણીતા તબલાવાદકના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. અમિતાભ બચ્ચન, કરીના કપૂર, મલાઈકા અરોરા, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપી છે.ઝાકિર હુસૈનના નિધન પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું – ખૂબ જ દુઃખદ દિવસ. તેણે પોતાના બ્લોગમાં લખ્યું- “એક પ્રતિભા.. એક અજોડ ઉસ્તાદ.. એક અપુરતી ખોટ.. ઝાકિર હુસૈન આપણને છોડીને ચાલ્યા ગયા છે. અભિનેત્રી કરીના કપૂર ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે જેમાં તેના પિતા રણધીર કપૂર ઝાકિર ખાન…