Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદથી રાજકારણ ગરમાયું, સાંસદે કહ્યું- જલારામ બાપાનું અપમાન કરવાનો કાઈને અધિકાર નથી
જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે રાજકારણીઓ પણ સોસિયલ મિડિયા પોસ્ટ દ્વારા પોતોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જલારામ બાપા પર ટિપ્પણી કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જઈ જલારામ બાપાના મંદિરે મસ્તક નમાવી પોતાની ભૂલનો સ્વીકાર કરવો તેવું સૂચન કર્યું છે. આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય…








