સોનિયા ગાંધીની મુશ્કેલી વધી? ‘વંદેમાતરમ્’ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, 8 સપ્ટેમ્બરે સુનાવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે ‘વંદેમાતરમ્’ના ગાન દરમિયાન કથિત રીતે અવરોધ ઊભો કરવાના આરોપોને લઈને ગાજિયાબાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારી લેવામાં આવી હોવાનું જણાવાયું છે અને આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો 15 ઑગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન ‘વંદેમાતરમ્’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો હતો. હિન્દુ સેનાના નેતાએ કરી ફરિયાદ ગાજિયાબાદ કોર્ટમાં સોનિયા…

મારિયા મચાડોને નોબેલ મળતાં રાહુલ ગાંધી માટે પણ માગ ઊઠી, કોંગ્રેસ નેતાએ કરી તુલના

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાં ભારતના રાજકીય વર્તુળમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ભારતના લોકશાહી સંવिधानને બચાવવાના યત્નો માટે રાહુલ ગાંધી પણ આ પુરસ્કારના હકદાર છે. “રાહુલ પણ લોકશાહી બચાવવાના લડવૈયા” – કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં મારિયા મચાડોનો ઉલ્લેખ કરતા લખ્યું. “વેનેઝુએલાની લોકશાહી બચાવવા માટે લડનાર નેતા માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ભારતમાં પણ રાહુલ ગાંધી બંધારણ અને લોકશાહી માટે જંગ લડી રહ્યા છે. તેઓ પણ એટલાજ હકદાર છે.” તેમણે મારિયા સાથેનો રાહુલનો ફોટો પણ શેર કર્યો છે, અને બંને નેતાઓ વચ્ચે સાધ્યંત તુલના કરીને દેશ-વિદેશના મીડિયા અને રાજકારણમાં હલચલ મચાવી છે. મચાડોનું સન્માન નોબેલ સમિતિએ કહ્યું…