મારિયા મચાડોને નોબેલ મળતાં રાહુલ ગાંધી માટે પણ માગ ઊઠી, કોંગ્રેસ નેતાએ કરી તુલના

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાં ભારતના રાજકીય વર્તુળમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ભારતના લોકશાહી સંવिधानને બચાવવાના યત્નો માટે રાહુલ ગાંધી પણ આ પુરસ્કારના હકદાર છે.

“રાહુલ પણ લોકશાહી બચાવવાના લડવૈયા” – કોંગ્રેસ પ્રવક્તા
સુરેન્દ્ર રાજપૂતે તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં મારિયા મચાડોનો ઉલ્લેખ કરતા લખ્યું. “વેનેઝુએલાની લોકશાહી બચાવવા માટે લડનાર નેતા માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ભારતમાં પણ રાહુલ ગાંધી બંધારણ અને લોકશાહી માટે જંગ લડી રહ્યા છે. તેઓ પણ એટલાજ હકદાર છે.” તેમણે મારિયા સાથેનો રાહુલનો ફોટો પણ શેર કર્યો છે, અને બંને નેતાઓ વચ્ચે સાધ્યંત તુલના કરીને દેશ-વિદેશના મીડિયા અને રાજકારણમાં હલચલ મચાવી છે.

મચાડોનું સન્માન
નોબેલ સમિતિએ કહ્યું હતું કે મારિયા મચાડોને પુરસ્કાર આપવાનો નિર્ણય વેનેઝુએલામાં લોકશાહી અધિકારો અને ન્યાય માટેની તેમની અટૂટ પ્રતિબદ્ધતાને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે. મચાડોએ રાષ્ટ્રપતિ માદુરોની સરકાર સામે દબાણ અને ધમકી વચ્ચે પણ દેશ નહીં છોડવાનું નિર્ણય કર્યું અને વિપક્ષને એક કરાવવાની ભૂમિકા ભજવી.

કોંગ્રેસના દાવા – રાહુલ ગાંધી પણ આવા જ મૂલ્યો માટે લડી રહ્યા છે
કોંગ્રેસના નેતાઓના મતે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી બંધારણની રક્ષા, પછાત વર્ગો માટે અનામત, પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે અને લઘુમતીઓના અધિકારો માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓએ NDA સરકાર પર ચૂંટણીમાં હસ્તક્ષેપ, મતદાર યાદીઓમાં છેડછાડ, અને EVM હેકિંગના આક્ષેપો પણ લગાવ્યા છે.

INDIA બ્લોક અને લોકશાહી માટેની લડત
કોંગ્રેસના દાવા મુજબ, INDIA ગઠબંધન એ માત્ર ચૂંટણી માટેનો મંચ નથી, પરંતુ લોકશાહી મૂલ્યો અને બંધારણ બચાવવાનો યત્ન છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ સરકાર સામે સતત અડગ રહેવાનો દાવો કરી રહ્યો છે.

વિશ્લેષણકારો શું કહે છે?
આ તુલના વિવાદાસ્પદ પણ બની શકે છે, કારણ કે નોબેલ શાંતિ પુરસ્કાર સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય માળખામાં અને સ્પષ્ટ અસરો ધરાવતા કાર્ય માટે આપવામાં આવે છે. તેમ છતાં, કોંગ્રેસનું કહેવું છે કે “સ્થાનિક હોય કે વૈશ્વિક – લોકશાહી માટેની લડાઈ બધે સમાન છે.”

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો