ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે કે નહીં? BCCI આ મોટો નિર્ણય લેશે

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે રોહિત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (IND vs ENG, ટેસ્ટ સિરીઝ)નો ભાગ નહીં હોય અને કેપ્ટનશિપ પણ ગુમાવશે. પરંતુ આ તમામ બાબતો બાદ હવે BCCI એક મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં વરિષ્ઠ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, તેમ છતાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી અને ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં રોહિતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ…