BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો કરતાં વધુ સીટો મેળવી. બેઠકોનું વિભાજન: ભાજપ: 89 બેઠકો શિવસેના (એકનાથ શિન્દે ગ્રુપ): 29 બેઠકો શિવસેના (ઉદ્ધવ ભાઈ UBT) + MNS: 69 બેઠકો મહારાષ્ટ્રની બીજી મહાનગરપાલિકાઓમાં પણ મહાયુતિને સારા પરિણામો મળ્યા છે, જેમાં પુણે, નાગપુર અને નાશિકનો સમાવેશ થાય છે. BMC ની આ જીત રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ શહેરને રાજકીય દિશા માટે મોટા પાયે પ્રભાવશાળી ગણવામાં આવે છે. 2026ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “લોકોએ અમને આગામી પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. તેમનો વિશ્વાસ…

બિહાર ચૂંટણી પછી પીએમ મોદીનું મોટું નિવેદન: “બિહારમાં વિજયે બંગાળ માટે માર્ગ મોકળો કર્યો, જંગલરાજને જડમૂળથી ઉખેડી નાખીશું”

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતાં પશ્ચિમ બંગાળને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. પીએમ મોદીએ જણાવ્યું – “ગંગા બિહારથી વહે છે અને બંગાળ સુધી પહોંચે છે. બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે. હું બંગાળના ભાઈઓ-બહેનોને ખાતરી આપું છું કે હવે આપણે ત્યાં પણ જંગલરાજને જડમૂળથી ઉખેડી નાખીશું.” બિહારની જીત સાથે બંગાળ માટે નવી રાજકીય દિશા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બિહારના લોકોએ વિકાસ, સુશાસન અને સુરક્ષાને મત આપીને રાજ્યમાંથી ભય, આતંક, ભ્રષ્ટાચાર અને જંગલરાજને નકારી દીધું છે. તે જ લહેર હવે પશ્ચિમ બંગાળમાં દેખાશે એવી તેમની સ્પષ્ટ દલીલ છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, બિહારની જીત બંગાળ માટે “વિજયનો બ્યુગલ” સાબિત થશે. બંગાળના લોકો પરિવર્તન…