કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધી રાહત મળી છે. 5,330 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં પ્રવક્તા મંત્રીના જણાવ્યા અનુસાર, આ બંને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોના કુલ રૂ. 6,890.98…

PM મોદીના આગમનથી ઓમાન ‘મોદી.. મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓમાન પ્રવાસ દરમિયાન મસ્કતમાં ભવ્ય સ્વાગત જોવા મળ્યું હતું. પીએમ મોદીના આગમન સાથે જ શહેર ‘મોદી, મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું. રસ્તાઓ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્રિરંગા લહેરાવીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી મસ્કત એરપોર્ટ પર ઉતરતાં જ ઓમાનના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદ એરપોર્ટ પર વ્યક્તિગત રીતે હાજર રહી તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી. ભારત-ઓમાન વચ્ચે વ્યૂહાત્મક સહકાર મજબૂત થવાના સંકેત આ બેઠકને ભારત અને ઓમાન વચ્ચે વધતા દરિયાઈ સુરક્ષા પડકારો અને સંરક્ષણ સહકારના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નિષ્ણાતો મુજબ, આ મુલાકાત બંને દેશો વચ્ચે એક મજબૂત અને વ્યૂહાત્મક ભાગીદારી…

વેરાવળમાં બે કાશ્મીરી યુવકો ઝડપાયા, પોલીસ પૂછપરછમાં વ્યસ્ત

ગીર સોમનાથના વેરાવળમાં પોલીસે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લીધો છે. વેરાવળના રામભરોસે ચોકમાં અનીસઉલ રહેમાન અને મહમદ અસલમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછીપરછ ચાલુ છે. અનીસઉલ રહેમાન ગુજરાત મદરેસા માટે પ્રથમ વખત ચંદો ઉઘરાવવા આવ્યો હતો, જ્યારે મહમદ અસલમ છેલ્લા પાંચથી છ વર્ષથી દર વર્ષે ચંદો ઉઘરવા આવતો રહ્યો છે. બંને યુવકો કાશ્મીરના પૂંછ જિલ્લાની મદરેસાઓ માટે ચંદો ઉઘરાવે છે. ચંદો સ્કેનર દ્વારા ઓનલાઇન ઉપાડી મદરેસાના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. પોલીસને મળેલ માહિતી મુજબ, બંને યુવકો પ્રથમ ડિસેમ્બરે કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ તેઓ કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ અને જેતપુરથી ચંદો ઉઘરાવતા વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળ પહોંચતાં પહેલા તેઓ બે દિવસ માંગરોળમાં રોકાયા હતાં. હાલ પોલીસ બંનેની તપાસ કરી રહેલી છે…

1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં ઘટાડો, નવી યુનિફાઇડ ટેરિફ સિસ્ટમથી લોકોને મળશે લાભ

આગામી 1 જાન્યુઆરી, 2026થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 2થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. ટેરિફ માળખામાં ફેરફાર PNGRBના સભ્ય એ.કે. તિવારીએ જણાવ્યું કે, બોર્ડે હાલની જટિલ ટેરિફ વ્યવસ્થાને સરળ બનાવી છે. અગાઉ અમલમાં રહેલી ત્રણ ઝોનની વ્યવસ્થા નાબૂદ કરીને હવે માત્ર બે ઝોન બનાવવામાં આવ્યા છે. દૂરના વિસ્તારોને વધુ લાભ પૂર્વમાં, 200 કિમી સુધીના અંતર માટે 42 રૂપિયા, 300-1,200 કિમી માટે 80 રૂપિયા અને 1,200 કિમીથી વધુ અંતર માટે 107 રૂપિયા ચૂકવવા પડતા હતા. નવી વ્યવસ્થા હેઠળ, 300 કિમીથી વધુના તમામ અંતર માટે એકીકૃત ‘યુનિફાઇડ’ ટેરિફ 54 રૂપિયા…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વક્ફને હવે ધાર્મિક ટ્રસ્ટો સમકક્ષ ગણાશે, કોર્ટ ફી ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડને હિન્દુ ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે. હાઈકોર્ટનો નિર્ણય અને મહત્વ કોર્ટના આ ચુકાદા મુજબ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદાની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગતા નિયમો હવે વક્ફને પણ લાગુ પડશે. અગાઉ જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવાથી મુક્તિ મળતી હતી, જે હવે નહી રહેશે. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી સર્વસમાન લાગુ પડશે. વક્ફ શું છે? વક્ફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “રોકવું” અથવા “સાચવવું”. કાયદાકીય…

ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે એક્સ (સોશિયલ મીડિયા) પર જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે. PM મોદીને ‘મહાન મિત્ર’ ગણાવ્યો અમેરિકન દૂતાવાસે લખ્યું છે કે, “ભારત વિશ્વનું સૌથી જૂનું પૌરાણિક સભ્યતાઓમાંથી એક દેશ છે. આ એક અદ્ભુત દેશ છે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. અમને વડાપ્રધાન મોદીના રૂપમાં એક મહાન મિત્ર મળ્યો છે.” ટેલિફોનિક વાતચીત બાદ તેજી ટ્રમ્પ અને PM મોદી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઇ હતી, જેમાં દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી વધારવા અને તેને વેગ આપવા અંગે ચર્ચા…

ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય

અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…

અમદાવાદ–ગાંધીનગર એલર્ટ: શાળાઓને બોમ્બની ધમકી બાદ સચિવાલયમાં સઘન ચેકિંગ, સુરક્ષા વધારી

અમદાવાદમાં આજે અનેક શાળાઓને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર સચિવાલયને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સચિવાલયમાં ચુસ્ત બંદોબસ્ત દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી મળતા તંત્ર સાવચેત બન્યું છે. રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. સચિવાલયની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારાયું છે. સુરક્ષાના ભાગરૂપે બહારના રસ્તાઓ પર ફૂલના કુંડા સહિતની વસ્તુઓ તપાસવામાં આવી રહી છે અને આવન-જાવન કરતા તમામ લોકોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર વિસ્તારમાં ખાનગી વાહનોનું પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. શાળાઓમાં સ્વૈચ્છિક…

ટ્રમ્પે વધુ પાંચ દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો, અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પોતાની કડક ઇમિગ્રેશન નીતિને આગળ વધારતા મુસાફરી પ્રતિબંધનો વ્યાપ વધારીને વધુ પાંચ દેશોનો સમાવેશ કર્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ આદેશ અનુસાર, આ દેશોના નાગરિકોને હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી મળશે નહીં. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં અફઘાન મૂળના એક વ્યક્તિએ બે નેશનલ ગાર્ડ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. વહીવટીતંત્રનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ 12 દેશો પર પ્રતિબંધ જૂન મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે 12 દેશોના નાગરિકો પર સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધ લાદ્યો હતો. તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. આ સાથે…

ભારત–ઇથોપિયા સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત, આઠ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર

ભારત અને ઇથોપિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મંગળવારે નવી ઊંચાઈએ પહોંચ્યા, જ્યારે બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) સુધી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહેમદ અલી વચ્ચે થયેલી વ્યાપક વાટાઘાટો બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદી તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત પર ઇથોપિયા પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રીય મહેલમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આ વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશોના સંબંધોમાં નવી ઊર્જા, ગતિ અને ઊંડાણ ઉમેરશે. મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા વાટાઘાટોમાં અર્થતંત્ર, ટેકનોલોજી, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ, આતંકવાદ વિરોધી સહયોગ અને બહુપક્ષીય મંચો પર સહકાર જેવા વિષયો આવરી લેવામાં આવ્યા. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મળેલા ઇથોપિયાના સમર્થન બદલ પ્રધાનમંત્રી મોદીએ…