ભારતની જીત: શ્રીલંકન મહિલા ટીમને હરાવી, જેમીમા રોડ્રિગ્સે ફટકારી અડધી સદી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની મહિલા ટીમ સામે T20 સિરીઝની પહેલી મેચમાં શાનદાર જીત મેળવી છે. 21 ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ વિકેટ લઇને બોલિંગ અને બેટિંગ બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. હાલમાં ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. શ્રીલંકાનું નિરાશાજનક પ્રદર્શન 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવતા શ્રીલંકાએ માત્ર 121 રન બનાવ્યા. ઓપનર વિશ્મી ગુણારત્નેએ 43 બોલમાં 39 રન બનાવ્યા, ચમારી અટાપટ્ટુએ 12 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું. ત્રીજા નંબર પર હસિની પરેરાએ 23 બોલમાં 20 રન અને હર્ષિતા સમરવિક્રમાએ 23 બોલમાં 21 રન બનાવી. નીલકશિકા સિલ્વાએ 8 રન અને કવિશા દિલહારીએ 6 રન બનાવ્યા. ભારતના હાંસલ ટાર્ગેટ 122 રનના ટાર્ગેટ માટે ઉતરેલી ભારતની શરૂઆત સારી ન રહી. શેફાલી વર્મા 5 બોલમાં 9 રન બનાવી આઉટ…

રાજ્યના TET ઉમેદવારો માટે સારા સમાચાર: 2 વર્ષના વિલંબ પછી 133 કેન્દ્ર પર TET પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષક બનવા ઈચ્છતા TET (Teacher Eligibility Test) ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ રાજ્યમાં TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી વિદ્યાર્થીઓની લાંબી રાહત અને આતુરતાનો અંત આવ્યો છે. પરીક્ષા વિગતો કુલ ઉમેદવારો: રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ અમદાવાદમાં ઉમેદવારો: 26,381 પરીક્ષા કેન્દ્ર: 133 અવધિમાં વધારો: પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો શહેરો: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આયોજન અને સંચાલન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષા સજ્જ રીતે આયોજન કરવામાં આવી રહી છે. 133 કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન કરીને વિદ્યાર્થીઓને સરળતાથી ભાગ લેવા સુવિધા આપવામાં આવશે. આ વર્ષના TET પરીક્ષા આયોજનને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…

ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ રજૂ કરી, જેનાથી ગૌરક્ષા અને સનાતન ધર્મના પ્રચારને નવી ઊંચાઈ મળી છે. આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની ચિંતા શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધતા ધર્માંતરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત જરૂરી છે. તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે. વર્ણવ્યવસ્થાનો મહત્વ વર્તમાન સમયમાં ચાલી રહેલી ચર્ચાઓ પર પૂંણવિરામ મુકતા શંકરાચાર્યે જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા અનિવાર્ય છે. લોકો આ વ્યવસ્થા દૂર થવી…

IND vs PAK: એશિયા કપ 2025 ફાઈનલમાં ભારતની હાર, સમીર મિન્હાસે ધૂમ મચાવી

ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ભારત અંડર-19 ટીમનો સામનો પાકિસ્તાન સાથે થયો. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પાકિસ્તાનએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 347 રન બનાવ્યા. ભારત આ ટાર્ગેટનો પીછો ન કરી શક્યું અને માત્ર 156 રનમાં ઓલઆઉટ થયું, જેનાથી પાકિસ્તાન એશિયન ચેમ્પિયન બન્યું. પાકિસ્તાનની બોલિંગ અને બેટિંગની જબરદસ્ત કામગીરી પાકિસ્તાનના ઓપનર સમીર મિન્હાસે 113 બોલમાં 172 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા શામેલ હતા. હમઝા ઝહૂરે 18 રન, ઉસ્માન ખાન 35 રન, અને અહેમદ હુસૈને 56 રન બનાવ્યા. અન્ય બેટ્સમેનો મોટો પ્રદર્શન ન કરી શક્યો છતાં ટીમે ટોટલ 347 રન હાંસલ કર્યા. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ મળી, હેનિલ…

‘જી રામ જી’ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો શું છે વિગત

ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. આ કાયદા સાથે મનરેગાની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી છે, જેમાં ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત આધાર મળશે અને ગરીબ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે. સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ આ વિધેયક સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી ઐતિહાસિક ભૂલ…

અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે. યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર…

અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું-“90 ટકાથી વધુ વિસ્તાર સુરક્ષિત, ખનનને……”

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવા ખોટા અને ભ્રામક છે. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે. પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરવલ્લી વિસ્તારના 90 ટકા કરતાં વધુ ભાગને સંરક્ષિત ક્ષેત્ર તરીકે આવરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રહેશે. પરિભાષા બદલવાથી ચિંતા, સરકારે આપી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો…

રાશિફળ/21 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે। તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા…

અંક જ્યોતિષ/21 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

નાંદોદમાં બે અકસ્માત: એકનું મોત, એકને ગંભીર ઇજા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક વ્યક્તિના મોત નીપજ્યા અને બીજી વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. પોલીસએ બંને મામલામાં ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 1: શહેરાવગામમાં અકસ્માત અંકિતભાઈ ધીરુભાઈ તેજાણી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શહેરાવગામ ગામના રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના માતા પિતા ઉપર ટક્કર મારી હતી. આ ઘટના દરમિયાન પિતાજી ધીરુભાઈ મોહનભાઈ તેજાણીને ગંભીર ઇજા પહોંચી અને સારવાર દરમિયાન સુરત એઈમ્સ હોસ્પિટલમાં મોત નીપજ્યું. માતા ઉર્મીલાબેનને પણ ઇજા પહોંચી હતી. આ મામલે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 2: કુમસગામના ત્રણ રસ્તા પર બીજો અકસ્માત કુમસગામના ત્રણ રસ્તા પર થયો. મિતેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 18) અને અલ્પેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 20) પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ પર અંકલેશ્વર તરફ…