ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત
રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂર્ણ કરવા માટે સામાન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધારાનો સમય આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વધુ સુવિધા અને ન્યાય મળશે. નવા નિયમો મુજબ, 1 કલાકની પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાના 20 મિનિટ મળશે. જ્યારે 3 કલાકના મુખ્ય પેપર માટે તેમને લગભગ 1 કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. આ વ્યવસ્થાથી લખવામાં, વાંચવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને દ્રષ્ટિહીન અથવા દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નકશા પૂરાં કરવા કે આકૃતિ દોરવાના પ્રશ્નો…
મોહસીન નકવી સ્ટેજ પર રાહ જોતા રહ્યા, ભારતીય ખેલાડીઓએ ICC અધિકારી પાસેથી મેડલ સ્વીકાર્યા
રવિવારે દુબઈમાં યોજાયેલી ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ બાદ યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન એક રસપ્રદ અને ચર્ચાસ્પદ દૃશ્ય સામે આવ્યું. પાકિસ્તાનની જીત બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવી સ્ટેજ પર હાજર રહ્યા અને પાકિસ્તાની ટીમને વિજેતા મેડલ અર્પણ કર્યા. જોકે, જ્યારે રનર્સ-અપ ટીમ ઇન્ડિયાને મેડલ આપવાનો વારો આવ્યો, ત્યારે ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી સાથે સ્ટેજ શેર કરવાનું ટાળ્યું. ભારતીય અંડર-19 ટીમ મુખ્ય સ્ટેજ પર ગઈ નહીં અને ત્યાં હાજર ICCના અધિકારી મુબાશ્શીર ઉસ્માની પાસેથી પોતાના મેડલ સ્વીકાર્યા. આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ફાઈનલ મેચમાં પાકિસ્તાન અંડર-19 ટીમે ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ ટ્રોફી પોતાના નામે…
ગાઢ ધુમ્મસને કારણે હવાઈ ટ્રાફિક ખોરવાયો: દિલ્હી એરપોર્ટ પરથી 110 ફ્લાઇટ્સ રદ, 370થી વધુ મોડી
રવિવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર હવાઈ સેવાઓ પર ગંભીર અસર જોવા મળી. દૃશ્યતા ઘટી જવાથી કુલ 110 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેમાં 59 આગમન અને 51 પ્રસ્થાનની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિકૂળ હવામાનની અસર દિવસભર યથાવત રહી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના ડેટા મુજબ, 370થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ખાસ કરીને પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સમાં સરેરાશ 26 મિનિટનો વિલંબ નોંધાયો હતો. દિલ્હી એરપોર્ટના સંચાલક DIAL (Delhi International Airport Limited) દ્વારા સાંજે આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે તમામ પડકારો વચ્ચે એરપોર્ટની કામગીરી શક્ય તેટલી સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે IGIA દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંનું એક છે, જ્યાં દરરોજ અંદાજે 1,300 ફ્લાઇટ્સનું સંચાલન…
ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી. તેમણે આ નિવેદન RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે કોલકાતામાં આયોજિત “100 વ્યાખ્યાન શ્રેણી” કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું, “જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, શું તેને બંધારણીય મંજૂરીની જરૂર પડે? એ જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું સન્માન થાય છે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર રહેશે.” તેમણે ઉમેર્યું કે સંસદ બંધારણમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી. RSS વડાએ સ્પષ્ટ કર્યું કે જે કોઈ વ્યક્તિ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે…
તિબેટ ભૂકંપથી હચમચી ગયું, 3.5ની તીવ્રતા નોંધાઈ
તિબેટમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે 8:29 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર ઊંડાઈએ હતું. NCS દ્વારા X (ટ્વિટર) પર શેર કરેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 28.51 ઉત્તર અને રેખાંશ 87.57 પૂર્વ વિસ્તારમાં આવેલું હતું. ભૂકંપ પછી હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટાં નુકસાનના અહેવાલ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે તિબેટમાં આ પહેલાં પણ ભૂકંપીય પ્રવૃત્તિ નોંધાઈ ચૂકી છે. 5 ડિસેમ્બરે અહીં 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નિષ્ણાતો જણાવે છે કે છીછરા ભૂકંપ સામાન્ય રીતે વધુ ખતરનાક હોય છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતા તરંગો સપાટી સુધી ઓછા અંતરે પહોંચે છે…
વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ટ્રમ્પ પ્રશાસનની ઝૂંબેશ, $170 બિલિયન ભંડોળ કરાયું મંજૂર
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આગામી વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ICE અને બોર્ડર પેટ્રોલને 170 બિલિયન ડોલર વધારાનું ભંડોળ મળ્યું છે. મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ કડક પગલાં રાજકીય વિવાદ અને જાહેર સમર્થન ઘટાડવાનો કારણ બન્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક મુખ્ય યુએસ શહેરોમાં ઇમિગ્રેશન એજન્ટોની સંખ્યા વધારી છે અને એજન્ટોએ રહેણાંક વિસ્તારોમાં દરોડા પણ પાડ્યા છે. આ વર્ષે કેટલાક મોટા વ્યવસાયો પર પણ દરોડા થયા છે, જ્યારે ખેતરો અને ઉદ્યોગોને બચાવી લેવાયું છે, કારણ કે આ અમેરિકન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ભંડોળ બિલ: જુલાઈમાં રિપબ્લિકન-નિયંત્રિત કોંગ્રેસે ખર્ચ બિલ પસાર કર્યું. ICE અને બોર્ડર પેટ્રોલને સપ્ટેમ્બર 2029 સુધી $170 બિલિયન વધારાનું ભંડોળ મળશે, જે વર્ષના વર્તમાન બજેટ કરતાં ઘણું વધારે…
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BSF એલર્ટ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડક સુરક્ષા
બાંગ્લાદેશમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સરહદ પરની તમામ હરકતો પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી કરવા તૈયાર છે. હિંસા પછી સરહદ પાર અવરજવારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તણાવ યથાવત છે. વિદ્યાર્થી નેતા અને ઇન્કિલાબ મંચના કન્વીનર શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા વધી છે. એક પછી એક મીડિયા ઓફિસોને આગ લગાવવામાં આવી રહી છે, તેમજ મૈમનસિંહ જિલ્લામાં એક હિન્દુ યુવકને માર મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પછી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેડે ખાતે સરહદ ક્રોસિંગ પર મૈત્રી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.…
રાશિફળ/22 ડિસેમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે ધનલાભ કરાવી શકે છે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ…
અંક જ્યોતિષ/22 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
બંગાળ રાજકારણમાં નવી ચેતાવણી, હુમાયુ કબીરની નવી પાર્ટી 294 બેઠક માટે તૈયાર
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રાજકારણમાં સક્રિય ઘટના બની રહી છે. તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા દિગ્ગજ નેતા હુમાયુ કબીર મમતા બેનર્જી સામે ખુલ્લો પડકાર ફેંકતાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. સોમવારે મુર્શિદાબાદમાં વિશાળ જનસભા યોજી તેઓ સત્તાવાર રીતે પક્ષનું લોન્ચિંગ કરશે. હુમાયુ કબીરનો દાવો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યની તમામ ૨૯૪ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. બાબરી મસ્જિદના પુનઃનિર્માણ અને તેના શ્રેય અંગે મમતા બેનર્જી સાથેના મતભેદ બાદ કબીરે પોતાની અલગ રાહ પસંદ કરી છે, જે ટીએમસી માટે ચિંતાનો વિષય બની શકે છે. નવી પાર્ટીના આગમન સાથે જ મુર્શિદાબાદમાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે. કબીરે ચૂંટણી પંચ પાસેથી ‘ટેબલ’ સહિત ત્રણ ચૂંટણી પ્રતીકોની માંગણી કરી છે. તેઓ દાવો કરે છે કે…















