ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ રજૂ કરી, જેનાથી ગૌરક્ષા અને સનાતન ધર્મના પ્રચારને નવી ઊંચાઈ મળી છે.

આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની ચિંતા
શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધતા ધર્માંતરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત જરૂરી છે. તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.

વર્ણવ્યવસ્થાનો મહત્વ
વર્તમાન સમયમાં ચાલી રહેલી ચર્ચાઓ પર પૂંણવિરામ મુકતા શંકરાચાર્યે જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા અનિવાર્ય છે. લોકો આ વ્યવસ્થા દૂર થવી જોઈએ એવું કહી શકે, પરંતુ તે શક્ય નથી. મહત્વનું એ છે કે દરેક વ્યક્તિએ એકબીજાના વર્ણનું સન્માન કરવું જોઈએ.

ગાય માતાની રાષ્ટ્રમાતા તરીકે ઓળખાણ
ગોધરા, જેનું નામ ‘ગાયોની ધરા’ તરીકે ઓળખાય છે, ત્યાંથી શંકરાચાર્યે ગૌરક્ષાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે, ગાય માત્ર પશુ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. શંકરાચાર્યનું કહેવું છે કે, જો તેને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે, તો જ તેની સાચી રીતે રક્ષા થઈ શકે. પાંચ દિવસીય પ્રવાસના અંતે શંકરાચાર્યના કડક અને સ્પષ્ટ વલણને કારણે સમગ્ર પંથકમાં સનાતન ધર્મ અને ગૌરક્ષાને લઈને નવી ચેતના ફેલાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM મોદીની સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક, લાંબા ગાળાની વિચારસરણી અને ડેટાના અસરકારક ઉપયોગ પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન દેશના આગામી દાયકાઓના વિકાસને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની નીતિ અને આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાને અધિકારીઓને માત્ર વર્તમાન પડકારોનું સમાધાન કરવા પૂરતું મર્યાદિત ન રહેતા ભવિષ્યમાં દેશ સામે ઊભી થનારી જરૂરિયાતો, તકો અને પડકારોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગોના સચિવોએ દેશની વિકાસયાત્રા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને નીતિઓના અમલીકરણ દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાને અધિકારીઓને નવી વિચારસરણી સાથે કામ કરવા અને વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ ગણાવ્યો બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ડેટાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો…

ગુજરાતને AI અને ગ્લોબલ ફાઇનાન્સનું નવું હબ બનાવવાનું વિઝન, CM ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંક સમક્ષ રજૂ કરી રણનીતિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતના ભવિષ્યના વિકાસનું મહત્વાકાંક્ષી વિઝન રજૂ કર્યું હતું. તેમણે ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડી માટેના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની યોજના અંગે વિશ્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને ગુજરાતના GIFT Cityના વિકાસને કેન્દ્રમાં રાખીને રાજ્યમાં તૈયાર થઈ રહેલી વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે GIFT City હવે માત્ર એક નાણાકીય કેન્દ્ર પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ આગામી તબક્કામાં ફાઇનાન્સ, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનને એકસાથે જોડતી વૈશ્વિક ઇકોસિસ્ટમ તરીકે વિકસે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. AIને…