રાશિફળ/26 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર…
અંક જ્યોતિષ/26 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડતા મોટી સફળતા હાંસલ કરી છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન 3114.15 ગ્રામ (સુમારે 3.1 કિલો) ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. કસ્ટમની સફળ તપાસ કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલાએ ડ્રગ્સને ખૂબ જ છુપાવીને લાવ્યું હતું, પરંતુ એક્સ-રે સ્કેન અને શંકાસ્પદ હિલચાલ પરથી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ઝડપાયેલા માલનો આકાર અને જથ્થો દર્શાવે છે કે આ હેરાફેરી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ચાલતી હતી. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કસ્ટમ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે કે મહિલા આ જથ્થો…
‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ
‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી,…
આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે ઉપયોગ
ભારતીય સેનાના જવાનોને લગભગ પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગની મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ સાથે કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, સૈનિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ માત્ર ‘વ્યૂ-ઓન્લી’ અથવા ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે જ કરી શકશે. ઇન્સ્ટાગ્રામ પર લાઈક-કમેન્ટ પર પ્રતિબંધ નવી ગાઈડલાઈન અનુસાર, આર્મીના સૈનિકો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, કમેન્ટ કે પોતાનું કન્ટેન્ટ શેર કરી શકશે નહીં. સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલાઇઝિંગ અથવા એક્ટિવ ભાગીદારી પર પ્રતિબંધ યથાવત રહેશે. ‘નિષ્ક્રિય ભાગીદારી’નો ઉદ્દેશ શું? મીડિયા અહેવાલો મુજબ, ભારતીય સેના દ્વારા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સૈનિકોમાં ડિજિટલ જાગૃતિ વધારવાનો અને સોશિયલ મીડિયા…
થાઈલેન્ડમાં વિષ્ણુ પ્રતિમા હટાવવામાં વિવાદ, ભારતે કર્યો કડક વિરોધ
થાઈલેન્ડ અને કંબોડિયાની સંવેદનશીલ સરહદ પર સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા હટાવવામાં આવી હોવાના વિવાદ પર ભારતે કડક વિરોધ કર્યો છે. ભારત સરકારે આ ઘટનાને વિશ્વભરના હિન્દુઓની શ્રદ્ધા પર આઘાત ગણાવ્યો છે અને બંને દેશોને સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડ્યા વિના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની અપીલ કરી છે. અહેવાલો અનુસાર, વિવાદિત ‘ચોંગ અન મા’ વિસ્તારની વિષ્ણુ પ્રતિમા હટાવવામાં આવી હતી. થાઈલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ધર્મ પ્રેરિત ન હતું, પરંતુ સરહદની સુરક્ષા માટે લેવામાં આવ્યું હતું. આ પ્રતિમા મૂળભૂત રીતે ધાર્મિક સ્થાન તરીકે નોંધાયેલી ન હતી અને પાછળથી સ્થાપિત કરવામાં આવી હતી, જે તણાવનું કારણ બની રહી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ કૃત્યથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને આવા અપમાનજનક કૃત્યો સ્વીકાર્ય…
તાંઝાનિયા : માઉન્ટ કિલિમંજારો પર હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોનાં મોત
તાંઝાનિયાના માઉન્ટ કિલિમંજારો પર મેડિકલ ઈમરજન્સી મિશન દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ અંગેની જાણકારી આપી હતી. હેલિકોપ્ટર બુધવારે બારાફુ કેમ્પ નજીક ક્રેશ થયું હતું. ક્રેશ દરમિયાન પાઇલટ, એક ડૉક્ટર, એક પર્વત માર્ગદર્શક અને બે વિદેશી પ્રવાસીઓનો મોતની ઘટનામાં સમાવેશ થાય છે. આ દુર્ઘટના પર્વતારોહકોને બહાર કાઢવા માટે કરવામાં આવેલ મિશન દરમ્યાન ઘટી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સી ટીમોને તાત્કાલિક ચેતવણી આપવામાં આવી હતી અને હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. માઉન્ટ કિલિમંજારોના કઠિન ભૂપ્રદેશ અને ઊંચાઈને કારણે ઘણીવાર હેલિકોપ્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, ખાસ કરીને બચાવ કામગીરી માટે. આ દુર્ઘટના પર્વતારોહકો અને બચાવ ટીમ માટે મોટી આફત સાબિત થઈ…















