દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી

દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ: – PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી – PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી – PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી – PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા – PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી – PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી – PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી – PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા – PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી – PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં…

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ફેડરેશન અભિયાન, ગ્રાહકોને મળશે 5% ડિસ્કાઉન્ટ

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન નવી પહેલ લાવી રહી છે. આ અભિયાન હેઠળ, જે ગ્રાહક અણજાણીને પણ અન્ન બગાડશે નહીં, તેમને 5% ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રારંભમાં ફેડરેશનના સભ્યો આ ડિસ્કાઉન્ટ આપશે અને પ્રાથમિક તબક્કામાં દર રવિવારે 5% ડિસ્કાઉન્ટ અમલમાં મુકવામાં આવશે. અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળતા, નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ નિયમિત રીતે લાગુ કરવામાં આવશે. પ્રતિષ્ઠિત હોટલ અને રેસ્ટોરન્ટોમાં, ગેટ અને મેનુ પર ડિસ્કાઉન્ટની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવાશે, જેથી ગ્રાહકોને માહિતી મળી શકે. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા આ અભિયાન હાથ ધરવાનું મુખ્ય હેતુ છે કે હોટલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ કાર્યક્રમોમાં અન્નના બગાડને ઘટાડવામાં મદદ કરવી અને જાગૃતિ લાવવી. આ પહેલથી અન્નના બગાડમાં ઘટાડો થશે, પરંતુ ગ્રાહકોમાં પર્યાવરણ…

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી માંગના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેને અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અગાઉ અમિત શાહે આપી હતી. આ પ્રસંગે સાબરમતી નદી વિસ્તારમાં વસતા રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. આ સાથે ગૃહપ્રધાન પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. કાર્યક્રમોની સમયસૂચી અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ – બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે – સાંજે 6…

આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી

આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયો છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ (જેન્ડર) અને સરનામા જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધાયેલી હોય છે. ઘણા લોકો સમયાંતરે આ વિગતો અપડેટ કરાવતા હોય છે, પરંતુ UIDAIના નિયમો અનુસાર આધાર કાર્ડમાં કેટલીક વિગતો એવી છે, જે વારંવાર બદલી શકાતી નથી. જો આ નિયમો અંગે જાણ ન હોય, તો આગળ જઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા UIDAI મુજબ આધાર કાર્ડ પર નામ માત્ર બે વાર જ બદલી શકાય છે. ખાસ કરીને લગ્ન પછી ઘણી મહિલાઓ પોતાની અટક બદલાવતી હોય…

H-1B વિઝામાં વિલંબ અને રદ થવા પર ભારતની ચિંતા, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર

અમેરિકાના H-1B વિઝા સંબંધિત વિલંબ અને અચાનક ઇન્ટરવ્યુ રદ થવાના મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા વિલંબના કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને નાણાકીય, શૈક્ષણિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે સરકારને H-1B વિઝા એપોઇન્ટમેન્ટ વારંવાર બદલાવા અને રદ થવા અંગે અનેક ફરિયાદો મળી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા ભારતીય વ્યાવસાયિકો લાંબા સમયથી ભારતમાં ફસાયેલા છે અને તેઓ અમેરિકા પરત જઈ પોતાની નોકરી ફરી શરૂ કરી શકતા નથી. બાળકોના શિક્ષણ પર પડી રહી છે અસર પ્રવક્તાએ જણાવ્યું કે વિઝા વિલંબના કારણે માત્ર નોકરી નહીં, પરંતુ બાળકોના શિક્ષણ અને સમગ્ર પરિવારના જીવન…

સીરિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ, 6નાં મોત અને 21 ઘાયલ

સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાવી દીધી છે. સીરિયાની રાજ્ય સમાચાર એજન્સી SANA અનુસાર, આ વિસ્ફોટ હોમ્સના વાડી અલ-દહાબ વિસ્તારમાં આવેલી ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ મસ્જિદમાં થયો હતો. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં મસ્જિદની અંદર લોહીથી લથપથ કાર્પેટ, દિવાલોમાં પડેલા કાણા, તૂટેલા કાચ અને આગથી થયેલું નુકસાન સ્પષ્ટ જોવા મળે છે. મસ્જિદની અંદર મૂકાયા હતા વિસ્ફોટક ઉપકરણો સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે મસ્જિદની અંદર પહેલેથી જ વિસ્ફોટક ઉપકરણો મૂકવામાં આવ્યા હતા. વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને…

કેરળમાં ભાજપે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત પાર્ટીના મેયર ચૂંટાયા

દક્ષિણ રાજ્ય કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર ત્યાં ભાજપના મેયર ચૂંટાયા છે. શુક્રવારે (26 ડિસેમ્બર, 2025) કેરળની રાજધાની તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ભાજપ મેયર તરીકે ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ ચૂંટાયા હતા. દક્ષિણ રાજ્યના રાજકારણમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે. પદ સંભાળ્યા પછીની તેમની પહેલી ટિપ્પણીમાં, તેમણે કહ્યું, “અમે બધાને સાથે લઈને આગળ વધીશું. તમામ 101 વોર્ડમાં વિકાસ કરવામાં આવશે… તિરુવનંતપુરમને એક વિકસિત શહેરમાં રૂપાંતરિત કરવામાં આવશે.” અગાઉ, શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં, 45 વર્ષીય રાજેશને કુલ 51 મત મળ્યા હતા. તેમને એક સ્વતંત્ર કાઉન્સિલર (એમ. રાધાકૃષ્ણન)નો પણ ટેકો મળ્યો હતો, જેનાથી તેમની સંખ્યા 51 થઈ ગઈ હતી. તેમના વિરોધી, CPIMના આરપી શિવાજીને 29 મત મળ્યા હતા, અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFના કેએસ સબરીનાથનને…

નાઇજીરીયામાં ISIS સામે અમેરિકાનો ઘાતક હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી

ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સામે અમેરિકાએ એક મોટો અને ઘાતક લશ્કરી હુમલો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કાર્યવાહી વિશે જાણકારી આપતા કહ્યું કે આ હુમલો તેમના સીધા નિર્દેશ પર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે ISISના આતંકીઓ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં નિર્દોષ ખ્રિસ્તી નાગરિકોને નિશાન બનાવી ક્રૂર હત્યાઓ કરી રહ્યા હતા. આ હુમલો એવા જ આતંકીઓ સામે કરવામાં આવ્યો છે, જેમને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. ટ્રમ્પનું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,“કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશ પર, અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISISના આતંકવાદીઓ સામે શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે. આ આતંકીઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા હતા. મેં અગાઉથી તેમને ચેતવણી આપી હતી કે…

આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે, જેના કારણે લાંબા અંતરની મુસાફરી હવે થોડી મોંઘી બનશે. રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે 215 કિલોમીટર સુધીની બીજી વર્ગની સામાન્ય ટ્રેન મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, 215 કિમીથી વધુ અંતરની મુસાફરી માટે વિવિધ વર્ગોમાં ભાડામાં વધારો લાગુ થશે. કેટલો થયો ભાડામાં વધારો? નવા નોટિફિકેશન મુજબ, – સામાન્ય વર્ગમાં (215 કિમીથી વધુ) પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો – મેલ/એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી વર્ગો અને તમામ ટ્રેનોના એસી વર્ગોમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે 21 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે…

શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા

શિયાળાની શરૂઆત થતાં જ સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય બની જાય છે, હોઠ ફાટી જાય છે અને ખાસ કરીને એડી ફાટવાની સમસ્યા ઘણા લોકોને સતાવે છે. ફાટેલી એડી માત્ર દેખાવમાં ખરાબ લાગે છે એવું નહીં, પણ ચાલવામાં દુખાવો પણ આપે છે. માર્કેટમાં ઉપલબ્ધ અનેક ક્રિમ અને લોશન હોવા છતાં ઘણી વાર ઇચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ઘરગથ્થુ નુસખા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. અપનાવો આ સરળ ટિપ્સ પગને નવસેકું પાણી આપો: રાત્રે સૂતા પહેલા નવસેકું પાણી લો, તેમાં થોડું લીંબુ અને થોડો શેમ્પુ ઉમેરો. આ પાણીમાં 10–15 મિનિટ સુધી પગ પલાળી રાખો. આવું કરવાથી એડીની કઠણ ત્વચા નરમ બને છે. વેસેલિન અને મોજાનો ઉપયોગ: પગ ધોઈને સારી…