મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ ગેસ સિલિન્ડર થયું મોંઘું

મોંઘવારીથી જનતાની કમર તૂટી રહી છે. આ દરમિયાન મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. આ દરમિયાન આજે સોમવારે દેશને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે. આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો; ગ્રાહકો પર કોઈ અસર નહીં હરદીપ સિંહ પુરીએ શું કહ્યું ભાવ વધારા અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા…

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો; ગ્રાહકો પર કોઈ અસર નહીં

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, જે યુએસ વહીવટીતંત્રના પારસ્પરિક ટેરિફને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ થવાની આશંકાથી પ્રેરિત છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં છે, કારણ કે સરકારે બંને ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, જે યુએસ વહીવટીતંત્રના પારસ્પરિક ટેરિફને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ થવાની આશંકાથી પ્રેરિત છે.   ઓર્ડરમાં છૂટક ભાવો પર તેની શું અસર પડશે તે જણાવ્યું ન હતું, પરંતુ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે છૂટક ભાવોમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. આ વધારાથી પહેલાથી જ ફુગાવાના દબાણનો સામનો…

ભારતીય શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’, 10 સેકન્ડમાં જ 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ લાગુ થયા પછી, વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક પ્રભાવથી બચી શક્યું નથી. સોમવાર, 7 એપ્રિલના રોજ, ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક, BSE સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા. કોવિડ-૧૯ પછી ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.   ભારતીય શેરબજારમાં મોટાભાગની કંપનીઓ લાલ નિશાનમાં ખુલી:- આ ભારે ઘટાડામાં,…

Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.” કયા બની ઘટના ?કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની…

Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક…

PM મોદીની શ્રીલંકા મુલાકાતથી વધી ચીનની ચિંતા, જાણો શું છે મામલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે શ્રીલંકા પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પ્રધાનમંત્રી મોદીનું ખાસ અને ઐતિહાસિક સ્વાગત કર્યું. કોલંબોના સ્વતંત્રતા સ્ક્વેર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જે શ્રીલંકામાં કોઈપણ મહેમાનને આપવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ સન્માન હતું. આ ભવ્ય સ્વાગતથી ચીન સહિત અન્ય વૈશ્વિક શક્તિઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન, કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર ચર્ચા થઈ. ભારત અને શ્રીલંકાએ એકસાથે અનેક MoU નું આદાનપ્રદાન કર્યું. આમાં બહુ-ક્ષેત્રીય ગ્રાન્ટ સહાય અને ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટેના કરારનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ પાંચ મંત્રીઓને એરપોર્ટ પર…

IPL 2025: જસપ્રીત બુમરાહની વાપસી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક

IPLની સફર દિવસે ને દિવસે રોમાંચક બની રહી છે. આ દરમિયાન IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીમાં વિલંબ થઈ શકે છે. માર્ચ મહિનામાં IPL 2025માં બુમરાહ MI માટે ત્રણ મેચ ગુમાવશે તેવી અપેક્ષા હતી. હવે સમાચાર છે કે બુમરાહની વાપસીમાં થોડો વધુ સમય લાગી શકે છે. હજુ બૂમરાહને સાજા થવામાં હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સામે લાગશે. એટલે કે આ સિઝનમાં બૂમરાહ રમે તેવી શક્યતા નથી. ફક્ત બુમરાહ જ નહીં પરંતુ આકાશ દીપની વાપસીમાં પણ સમય લાગી શકે છે. આકાશ દીપ આવતા અઠવાડિયા સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ક્રિકેટ રમી નથી.…

Jio, Airtel અને Viના યુઝર્સ માટે શરૂ થઈ આ ખાસ સર્વિસ, TRAIના નિર્દેશની જોવા મળી અસર

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જો આ ત્રણમાંથી કોઈ પણ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ તમે કરી રહ્યા છો તો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Jio, Airtel અને VI એ તેમના કરોડો યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર તેમના નેટવર્ક કવરેજ નકશા અપલોડ કર્યા છે. થોડા સમય પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રાઈના આ નિર્દેશ પાછળનો હેતુ મોબાઈલ યુઝર્સ ને કંપનીની વાયરલેસ અને બ્રોડબેન્ડ સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવાનો હતો. જેને લઈ હવે ત્રણ કંપનીઑએ આ નકશા અપલોડ કર્યા છે. ટેલિકોમ ટોકના એક અહેવાલ મુજબ, ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો જારી કરતી વખતે કહ્યું…

શું છે વક્ફ સુધારા બિલ, સરકારને આ બિલ લાવવાની કેમ પડી જરૂર.. જાણો A to Z

આજે લોકસભામાં મહત્વનું બિલ રજૂ થવા જય રહ્યું છે. કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે આના દ્વારા તે વકફ સંબંધિત મિલકતોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરશે. જોકે, આ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા બિલથી મુસ્લિમ પક્ષની શક્તિ ઓછી થશે અને વક્ફ પર સરકારી નિયંત્રણ વધશે. ત્યારે સામાન્ય રીતે વકફ સનશોધન બિલ શું છે અને સરકારને હાલના વક્ફ કાયદામાં સુધારો કરવાની જરૂર કેમ પડી? વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે? આ બિલ પર સરકારનું શું કહેવું છે? વકફ અંગે અત્યાર સુધી કઈ ફરિયાદો મળી છે? આવા પ્રશ્નો મનમાં થવા સામાન્ય છે. શું છે વકફ ?વકફ એ કોઈપણ જંગમ અથવા…

વકફ સુધારા બિલ: લોકસભામાં આજે મહત્વપૂર્ણ ચર્ચા

થોડા કલાકો પછી, 8 કલાકની લાંબી ચર્ચા શરૂ થશે, જ્યારે સંસદની અંદર રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા છે. આ બિલ પસાર થાય કે નહીં, તે દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન – વકફ બોર્ડ માટે નક્કીકર્તા ક્ષણ સાબિત થઈ શકે. શું વકફ બોર્ડનો સત્તાનો સમય હવે ભૂતકાળ બની જશે? આજે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થવાનું છે, જે દેશભરમાં ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે. આ બિલના માધ્યમથી વકફ એક્ટ, 1995માં કેટલાક મહત્વપૂર્ણ સુધારા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્ય મુદ્દાઓ:-બપોરે 12 વાગ્યે બિલ રજૂ થશે.8 કલાક સુધી ચર્ચા ચાલવાની સંભાવના.BJP સહિતના રાજકીય પક્ષોએ સાંસદોને વ્હીપ જાહેર કરી, જેથી તમામ સાંસદોની હાજરી સુનિશ્ચિત થાય.બિલના કેટલાક પ્રસ્તાવિત સુધારાઓને લઈ વિપક્ષ અને વિવિધ સંગઠનોમાં અસંતોષ. શું છે…