વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે.

વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં.

આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા

મહાભારતનો કર્યો ઉલ્લેખ
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, મહાભારતના સમયે ધર્માંતરણ કરાવનારું કોઈ નહતુ, પરંતુ દુર્યોધને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા લાલચ આપી જે કામ કર્યું, તે અધર્મ હતુ. આપણે કોઈ સ્વાર્થી લાલચમાં ફસાયા વિના ધાર્મિક આચરણનું નિયમિત પાલન કરવું પડશે.આપણે આસક્તિ અને મોહના પ્રભાવ હેઠળ કામ ન કરવું જોઈએ, ન તો આપણે સ્વાર્થમાં ફસાઈ જવું જોઈએ. એવું ન થવું જોઈએ કે લોભ કે ડર આપણને આપણી શ્રદ્ધાથી દૂર કરી દે. તેથી જ અહીં આવા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમિત શાહ : Gujaratપ્રવાસ વિકાસ, જનસંપર્ક અને મહત્વપૂર્ણ કાર્યક્રમો 2026

->Gujaratઅમિત શાહનો Gujarat પ્રવાસ: વિકાસ, જનસંપર્ક અને મહત્વપૂર્ણ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહનો Gujarat પ્રવાસ રાજકીય, સામાજિક અને વિકાસના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ગુજરાત અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી તેમની દરેક મુલાકાત પર લોકો અને રાજકીય વર્તુળોની ખાસ નજર રહે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો, જાહેર સભાઓ, સંસ્થાકીય કાર્યક્રમો અને મહત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેશે. અમિત શાહની Gujarat મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરવો, લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવો અને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિને આગળ વધારવાનો છે. તેમના પ્રવાસમાં ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિકાસ સુધીના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે. ->અમરેલીથી શરૂ થયેલી વિકાસ યાત્રા : અમિત શાહના Gujarat પ્રવાસ દરમિયાન અમરેલી…

નેપાળ India સાથે કે ચીન સાથે? વિદેશ મંત્રી શિશિર ખનાલનો મોટો જવાબ, Strategic Clarity 2026

નેપાળ India સાથે કે ચીન સાથે? વિદેશ મંત્રી શિશિર ખનાલનો મોટો જવાબ, કહ્યું- “માતા-પિતામાંથી એકને પસંદ કરતા નથી” -> નેપાળની વિદેશ નીતિ પર મોટું નિવેદન : India અને ચીન વચ્ચે ભૌગોલિક રીતે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા નેપાળની વિદેશ નીતિ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને ભારત અને ચીન બંને સાથે સંબંધો જાળવી રાખવા માટે કાઠમંડુ કઈ પ્રકારની વ્યૂહરચના અપનાવે છે તે અંગે સતત ચર્ચા થતી રહે છે. ત્યારે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે NDTV અન્વીક્ષાના મંચ પરથી India અને ચીન સાથેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નેપાળ India અને ચીનમાંથી કોઈ એક દેશને પસંદ કરવાની નીતિમાં માનતું નથી. તેમણે બંને દેશો સાથે અલગ-અલગ પ્રકારના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા અને પોતાની વિદેશ નીતિનું મુખ્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *