PBKS vs KKR: પંજાબે કોલકાત્તાને હરાવ્યું, તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી. યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન આપ્યું અને માત્ર 111 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 16 રનથી જીત હાંસલ કરી. મેચ દરમિયાન પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેમનો ઈનિંગ માત્ર 15.3 ઓવરમાં 111 રન પર સમાપ્ત થયો હતો. જવાબમાં, KKRની ટીમ 15.1 ઓવરમાં 95 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે પંજાબે IPL ઇતિહાસમાં સૌથી ઓછા લક્ષ્યાંકનો સફળ બચાવ કર્યો છે. CSKનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો આ જીત સાથે પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો 2009માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009માં, ડરબનમાં CSKએ પંજાબ સામે 117 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો હતો, ત્યારે પંજાબની ટીમ 92 રન…

મુર્શિદાબાદ હિંસા પર BSFનો જવાબ: ઘૂસણખોરી રોકવી અમારી પ્રાથમિકતા

વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસા બાદ હજુ પણ તણાવનું વાતાવરણ છે. સ્થાનિક પોલીસ સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની ઘણી કંપનીઓ આ વિસ્તારમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં રોકાયેલી છે. દરમિયાન, હિંસા અંગે સરહદ સુરક્ષા દળ (BSF) સામે રાજકીય આરોપોનો દોર પણ શરૂ થયો છે.   TMC નેતાઓએ બીએસએફ પર ગંભીર આરોપો લગાવ્યા:- રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે બીએસએફ પર બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસણખોરી કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો છે. ઘોષે તો એમ પણ કહ્યું કે મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં BSFની એક ટુકડી પણ સામેલ હતી, જેના કારણે તોફાનીઓને સરહદ પારથી પ્રવેશવામાં અને પછી સુરક્ષિત રીતે પાછા ફરવામાં મદદ મળી.   BSFનો જવાબ – અમારી જવાબદારી સરહદનું રક્ષણ કરવાની છે:- આ આરોપોના…

Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં  17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે.  મહિલાઓ બની રણચંડી હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં…

અંક જ્યોતિષ/15 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર…

Panchang : 15 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ.  આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે.   પંચાંગ તિથી દ્વિતિયા (બીજ) 10:58 AM નક્ષત્ર વિશાખા +03:10 AM કરણ : ગરજ 10:58 AM વાણિજ 10:58 AM પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધિ 11:31 PM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:56 AM ચંદ્રોદય 09:02 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 06:46 PM ચંદ્રાસ્ત 06:52 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…

બિહારની ચૂંટણી પહેલા પશુપતિ પારસે ગઠબંધન અંગે કરી મોટી જાહેરાત, NDA ને મોટો ફટકો !

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો હવે NDA સાથે કોઈ સંબંધ રહેશે નહીં. પારસે નીતીશ સરકાર પર પ્રહારો કર્યા અને તેને દલિત વિરોધી ગણાવી. આ જાહેરાત પટનામાં RLJP દ્વારા આયોજિત બાપુ સભાગર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. પશુપતિ પારસે આજે (સોમવારે) એક મોટી જાહેરાત કરી અને જાહેરાત કરી કે હવેથી તેમનો NDA સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘આજથી અમે NDA સાથે નથી, NDA સાથે અમારો કોઈ સંબંધ નથી’. 2014માં NDAમાં જોડાયા ત્યારથી અમે તેમના વફાદાર સાથી રહ્યા છીએ. પરંતુ, અમારે જોવું પડ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ થાય છે, ત્યારે અમારા પક્ષને અન્યાયનો સામનો કરવો…

અંક જ્યોતિષ/14 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

મેઘરજના ભેમાપુર ગામે 60 ઉંડા કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરાયું

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં ગામમાં આવેલા 60 ફૂટઉંડા કુવામાં ગાય પડી હતી. અને ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ગાયની સુરક્ષા માટે તત્કાળ પગલાં લેવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી. જેને લઈને કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની જીવદયા ટીમે ગાય માતાને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈપલોડા ગામના ખેડૂત બાબુભાઈ હીરાભાઈની ગાય કુવામાં ખાબકી હતી જેને ખૂબ જ મહેનતથી બચાવવામાં આવતા થતાં જ ખુશી જોવા મળી… રિપોર્ટર-મેઘરજ , જગદીશ પ્રજાપતિ   Follow us On Social Media…

વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…