મુંબઈમાં શિલ્પા શેટ્ટીના ઘરે IT રેડ, બેંગાલુરૂના રેસ્ટોરન્ટ મામલે તપાસ તેજ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે જોડાયેલા મામલે ઇન્કમ ટેક્સ વિભાગે મુંબઈમાં તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગાલુરૂ સ્થિત તેમના રેસ્ટોરન્ટ ‘બેસ્ટિયન’ સાથે સંકળાયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ અને ટેક્સ લેવડ-દેવડની તપાસ અંતર્ગત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ઇન્કમ ટેક્સ વિભાગે ગઈકાલે (17 ડિસેમ્બર) મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા બેસ્ટિયન રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આજે (18 ડિસેમ્બર) શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિભાગને શંકા છે કે રેસ્ટોરન્ટના બિઝનેસમાં આવક, રોકાણ અને ટેક્સ ચુકવણીને લઈને ગડબડ થઈ હોઈ શકે છે. આ કાર્યવાહી માત્ર મુંબઈ સુધી સીમિત નથી. ઇન્કમ ટેક્સ વિભાગે બેંગાલુરૂમાં પણ રેસ્ટોરન્ટ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના નાણાકીય દસ્તાવેજોની તપાસ શરૂ…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારમાં કોઈ આંતરિક જૂથવાદ નથી, અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. શિવકુમારનું સ્પષ્ટીકરણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાંબી પોસ્ટ શેર કરતાં શિવકુમારએ લખ્યું “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે. જૂથ બનાવવું મારા લોહીમાં નથી.” તેમણે ઉમેર્યું કે કેટલાક ધારાસભ્યોની દિલ્હી મુલાકાતને રાજકીય દબાણ કે જૂથવાદ તરીકે ના જોવી જોઈએ. તે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ પહેલા નેતૃત્વને મળવાની સામાન્ય પ્રક્રિયા છે. સિદ્ધારમૈયાને સંપૂર્ણ સમર્થન શિવકુમારે જણાવ્યું “મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. હું તેમને શુભકામનાઓ પાઠવું છું…