બાંગ્લાદેશની નવી સરકારનું ભારત વિરોધી વલણ યથાવત, હવે મુક્યો ડ્રગ્સની દાણચોરીનો આરોપ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની સ્મગલિંગનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ફેન્સિડિલ નામનું ડ્રગ ભારતમાંથી બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવી રહ્યું છે. મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના મતે, ભારતીય નાગરિકો ફેન્સિડિલ દવા બનાવે છે, પરંતુ વાસ્તવમાં તે એક ડ્રગ્સ છે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશોની સંમતિ વિના સરહદના…

બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારને ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, તમામ સહાય બંધ કરવાનો આદેશ

યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી એ બાંગ્લાદેશમાં તેની તમામ સહાય અને પ્રોજેક્ટ્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને બાંગ્લાદેશની યુનુસ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ આ પહેલું મોટું પગલું છે, જેના કારણે બાંગ્લાદેશને વિકાસ કાર્યો માટે મળનારી મદદ બંધ થઈ જશે. તેના નિર્ણયમાં યુએસએઆઈડીએ તમામ પ્રકારના વર્ક ઓર્ડર, કોન્ટ્રાક્ટ અને પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. USAID બાંગ્લાદેશમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને આર્થિક સુધારા જેવા ક્ષેત્રોમાં મોટા પાયે સહાય પૂરી પાડે છે. આ નિર્ણયથી ત્યાં ચાલી રહેલા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખોરવાઈ શકે છે. -> USAID દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે :- યુએસએઆઈડીએ ફંડિંગ સસ્પેન્શન અંગેના તેના પત્રમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ટાંકીને કહ્યું હતું કે, “આ…

પાકિસ્તાન-બાંગ્લાદેશની વધતી નિકટતા ભારત માટે બની શકે છે ચિંતાનું કારણ

શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક આવતું દેખાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા દક્ષિણ એશિયામાં સંતુલન બદલી રહી હોય તેવું લાગે છે. બંને દેશો વચ્ચે મિત્રતાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ઉપરાંત, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથેના તેના રાજકીય, લશ્કરી અને અન્ય મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. આ બે પડોશી દેશોની નિકટતાએ ભારતની ચિંતાઓ વધારી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશને ભારતના પ્રભાવથી દૂર કરવામાં વ્યસ્ત છે. -> ISI ચીફ બાંગ્લાદેશની મુલાકાતે :- પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ આસિફ મલિક બાંગ્લાદેશની મુલાકાતે છે. ISI ચીફની મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયાની શરૂઆતમાં મંગળવારે બાંગ્લાદેશના ઉચ્ચ કક્ષાના લશ્કરી…

બાંગ્લાદેશની યુનુસ સરકારે બળતામાં ઘી હોમ્યું, ભારતના આમંત્રણને નકારી કાઢયું

હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતમાં આયોજિત સેમિનારમાં બાંગ્લાદેશી અધિકારીઓ હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢ્યું.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આઇએમડીના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૪ જાન્યુઆરીએ દિલ્હીના મંડપમ ખાતે યોજાનાર આ સેમિનાર માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અવિભાજિત ભારતનો ભાગ રહેલા પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે. જોકે, બાંગ્લાદેશે તેમાં જોડાવાનો ઇનકાર કર્યો છે -> આમંત્રણ 1 મહિના પહેલા મળ્યું – બાંગ્લાદેશ :- બાંગ્લાદેશ હવામાન વિભાગ (BMD) ના કાર્યકારી નિર્દેશક મોમિનુલ ઇસ્લામે એક મહિના પહેલા IMD તરફથી આમંત્રણ મળવાની પુષ્ટિ કરી…

વણસેલા સંબંધો વચ્ચે બાંગ્લાદેશે ભારતમાં આયોજિત ન્યાયિક તાલીમ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે ભારતમાં આયોજિત ન્યાયિક તાલીમ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આવતા મહિને 10 ફેબ્રુઆરીએ 50 બાંગ્લાદેશી ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓ મધ્યપ્રદેશ સ્થિત નેશનલ જ્યુડિશિયલ એકેડમી ઓફ ઈન્ડિયામાં તાલીમ લેવાના હતા. બાંગ્લાદેશના કાયદા મંત્રાલય દ્વારા આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી હતી, જોકે રદ કરવાના કારણો વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી. સ્થાનિક અહેવાલો અનુસાર, આ નિર્ણય બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ લેવામાં આવ્યો છે.કાર્યક્રમ હેઠળ, બાંગ્લાદેશના 50 ન્યાયાધીશો એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવવાના હતા. આ તાલીમ ઝુંબેશમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશો, અધિક જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશો, સંયુક્ત જિલ્લા ન્યાયાધીશો, વરિષ્ઠ મદદનીશ ન્યાયાધીશો અને મદદનીશ ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો સમગ્ર ખર્ચ ભારત સરકાર દ્વારા…

‘સારા સંબંધો બન્ને દેશોના હિતમાં છે’. ભારત સાથેના રિલેશનને લઇને બોલ્યા બાંગ્લાદેશના આર્મી ચીફ

બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રીય સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપી શકે. એક ઈન્ટરવ્યુમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ અને પડોશી દેશો સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેમણે મોહમ્મદ યુનુસના વચગાળાના વહીવટની પોલીસિંગ નિષ્ફળતાઓ પર ચિંતા વ્યક્ત કરી અને દેશમાં શાંતિ, સુશાસન અને વિકાસ માટે રાજકીય પક્ષોની સક્રિય ભૂમિકાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જનરલ વકારે કહ્યું કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અને સામાજિક વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. તેમણે કહ્યું, “શાંતિ અને સ્થિરતા વિના વિકાસ અને સુશાસન શક્ય નથી. આપણે પરસ્પર સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું પડશે અને સમાધાન તરફ પગલાં ભરીને રાષ્ટ્રીય સર્વસંમતિનું વાતાવરણ બનાવવું પડશે.” ભારત સાથેના સંબંધો પર…

બાંગ્લાદેશમાં શેંખ હસીના પછી હવે યુનુસ સરકાર સામે વિરોધની આગ, ફરીએવાર ભારે વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાને એક વર્ષ પણ પસાર થયું નથી અને વિદ્યાર્થીઓ વર્તમાન સરકાર વિરુદ્ધ બાંગ્લાદેશમાં રસ્તાઓ પર જોવા મळलળી રહ્યા છે. ગત વર્ષે વિદ્યાર્થીઓએ શેખ હસીના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. હવે ફરી એકવાર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ વખતે નિશાને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સડકો પર ઉતરેલા વિદ્યાર્થીઓ મોહમ્મદ યુનુસની સરકારના કેટલાક નિર્ણયોથી ખુશ નથી. યુનુસ સરકારના આ નિર્ણયોમાં દેશનું નામ બદલવા અને બંધારણ બદલવાની જાહેરાત સામેલ છે.   સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા:  31 ડિસેમ્બર, 2024…

બાંગ્લાદેશમાં બંધારણને બદલવાના ઉદ્દેશ્ય સાથે આજે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, 30 લાખથી વધુ લોકો એકત્ર કરવાની યોજના

શું બાંગ્લાદેશમાં ફરી બળવો થશે? બાંગ્લાદેશના લોકોના મનમાં આ પ્રશ્ન ફરી ઉઠી રહ્યો છે કારણ કે જે વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી, આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાંકાના શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. અહીંથી ક્રાંતિની જાહેરાત કરવામાં આવશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશના બંધારણને બદલવાનો છે.આ સભા માટે 30 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની યોજના છે. જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો આ બેઠકનો ઘણો પ્રચાર કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે. -> સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની…

ચીન બ્રહ્મપુત્રા નદી પર બનાવી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો બંધ, ભારતની ચિંતા વધી

ચીને ભારતીય સરહદની નજીક તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી છે, જે 137 બિલિયન યુએસ ડોલરની કિંમતનો વિશ્વનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જેણે તટવર્તી રાજ્યો તેમજ ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા વધારી છે. બુધવારે રાજ્ય સંચાલિત ઝિન્હુઆ ન્યૂઝ એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ચીનની સરકારે બ્રહ્મપુત્રાના તિબેટીયન નામ યાર્લુંગ ઝંગબો નદીના નીચલા ભાગોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. -> આટલો મોટો ડેમ :- મોર્નિંગ પોસ્ટે ગુરુવારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ચીન દ્વારા બનાવવામાં આવી રહેલો આ બંધ હિમાલય ક્ષેત્રમાં એક વિશાળ ખીણ પર બાંધવામાં આવનાર છે, જ્યાં બ્રહ્મપુત્રા નદી અરુણાચલ પ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહેવા માટે મોટો યુ-ટર્ન લે છે. ડેમમાં કુલ રોકાણ એક ટ્રિલિયન યુઆન…

શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?

તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશની બાગડોર સંભાળી રહી છે. દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણપાત્ર ફોજદારી કેસો અંગે થયેલી સંધિને જોતા ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે? ચાલો તમને જણાવીએ. -> શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી…