મોહમ્મદ યુનુસ સાથે એલોન મસ્કની વર્ચ્યુઅલ મીટિંગ, બાંગ્લાદેશમાં સ્ટારલિંક લોંચ કરવા મુદ્દે વાતચીત
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રો. મોહમ્મદ યુનુસે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક અને તેમની ટીમ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી છે. મુખ્ય સલાહકાર પ્રો. યુનુસ ઇચ્છે છે કે મસ્ક બાંગ્લાદેશમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરે. તેમના પ્રસ્તાવને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી રાજદ્વારી સમર્થન મેળવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક વખત બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી છે. આ ઉપરાંત ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. -> બાંગ્લાદેશી સરકારે નિવેદન બહાર પાડ્યું :- સમાચાર એજન્સી AFP અનુસાર, યુનુસના મીડિયા ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં બંનેએ ભાર મૂક્યો હતો કે આ સેવા બાંગ્લાદેશના ઉદ્યોગસાહસિક યુવાનો, ગ્રામીણ અને સંવેદનશીલ મહિલાઓ અને દૂરના સમુદાયો માટે…
હું બાંગ્લાદેશનો મામલો વડાપ્રધાન મોદીના હાથમાં છોડી દઉં છું: ટ્રમ્પ
અમેરિકાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. આ મુલાકાત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને એક મોટી વાત કહી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, “અમેરિકન ડીપ સ્ટેટની બાંગ્લાદેશમાં કોઈ ભૂમિકા નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફક્ત વડા પ્રધાન મોદી જ બાંગ્લાદેશ મામલે નિર્ણય લેશે. -> રાષ્ટ્રપતિ ટ્રમ્પને બાંગ્લાદેશ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો :- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અંગે પ્રશ્ન પૂછ્યો. પત્રકારે ટ્રમ્પને પૂછ્યું, “તમે બાંગ્લાદેશ વિશે શું કહેવા માંગો છો?” આપણે…
UNના માનવ અધિકાર રિપોર્ટમાં ગંભીર ખુલાસા, યુનુસની સરકાર પર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ
2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળોએ મોટાભાગના વિરોધીઓને ગોળી મારી હતી, જેમાં ૧૨-૧૩ ટકા બાળકોનો સમાવેશ થતો હતો. શેખ હસીનાની અવામી લીગ સરકારે બળવાના શરૂઆતના દિવસોમાં માત્ર 150 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ગેરકાયદેસર હત્યાઓ, મનસ્વી ધરપકડો અને સેંકડોની સંખ્યામાં અટકાયતો શેખ હસીના સરકાર અને સુરક્ષા અધિકારીઓની જાણકારીથી કરવામાં આવી હતી. -> લઘુમતીઓ સામે હિંસા અને અત્યાચાર :- સંયુક્ત રાષ્ટ્ર…
અમેરિકાએ સહાય બંધ કરતા બાંગ્લાદેશમાં ગંભીર અસર, અનેક લોકો બેરોજગાર, અનેક પ્રોજેક્ટસ બંધ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફરવાની સાથે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો છે. અમેરિકન સરકારે બાંગ્લાદેશને આર્થિક સહાય બંધ કરી દીધી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા ઘણા વિકાસ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ જોખમમાં મુકાઈ ગઈ છે. આની સીધી અસર ત્યાંના અર્થતંત્ર અને બેરોજગારી દર પર પડી છે. મહત્વનો પ્રશ્ન એ છે કે અમેરિકા દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય અચાનક કેમ બંધ કરી દેવામાં આવી. આના કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે, જેમ કે બાંગ્લાદેશમાં લોકશાહી જોખમમાં મુકાવવી. ચૂંટણી પ્રક્રિયાઓમાં પારદર્શિતાનો અભાવ અમેરિકન વહીવટીતંત્રને પરેશાન કરી રહ્યો હતો. બાંગ્લાદેશમાં ચીનના વધતા રોકાણ અને પ્રભાવ અંગે અમેરિકા સાવધ હતું. અમેરિકા નથી ઇચ્છતું કે બાંગ્લાદેશ સંપૂર્ણપણે ચીનના રાજદ્વારી નિયંત્રણમાં આવે. -> ટ્રમ્પ વહીવટીતંત્રની…
બાંગ્લાદેશની નવી સરકારનું ભારત વિરોધી વલણ યથાવત, હવે મુક્યો ડ્રગ્સની દાણચોરીનો આરોપ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની સ્મગલિંગનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ફેન્સિડિલ નામનું ડ્રગ ભારતમાંથી બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવી રહ્યું છે. મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના મતે, ભારતીય નાગરિકો ફેન્સિડિલ દવા બનાવે છે, પરંતુ વાસ્તવમાં તે એક ડ્રગ્સ છે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશોની સંમતિ વિના સરહદના…
બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારને ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, તમામ સહાય બંધ કરવાનો આદેશ
યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી એ બાંગ્લાદેશમાં તેની તમામ સહાય અને પ્રોજેક્ટ્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને બાંગ્લાદેશની યુનુસ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ આ પહેલું મોટું પગલું છે, જેના કારણે બાંગ્લાદેશને વિકાસ કાર્યો માટે મળનારી મદદ બંધ થઈ જશે. તેના નિર્ણયમાં યુએસએઆઈડીએ તમામ પ્રકારના વર્ક ઓર્ડર, કોન્ટ્રાક્ટ અને પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. USAID બાંગ્લાદેશમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને આર્થિક સુધારા જેવા ક્ષેત્રોમાં મોટા પાયે સહાય પૂરી પાડે છે. આ નિર્ણયથી ત્યાં ચાલી રહેલા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખોરવાઈ શકે છે. -> USAID દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે :- યુએસએઆઈડીએ ફંડિંગ સસ્પેન્શન અંગેના તેના પત્રમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ટાંકીને કહ્યું હતું કે, “આ…
પાકિસ્તાન-બાંગ્લાદેશની વધતી નિકટતા ભારત માટે બની શકે છે ચિંતાનું કારણ
શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક આવતું દેખાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા દક્ષિણ એશિયામાં સંતુલન બદલી રહી હોય તેવું લાગે છે. બંને દેશો વચ્ચે મિત્રતાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ઉપરાંત, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથેના તેના રાજકીય, લશ્કરી અને અન્ય મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. આ બે પડોશી દેશોની નિકટતાએ ભારતની ચિંતાઓ વધારી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશને ભારતના પ્રભાવથી દૂર કરવામાં વ્યસ્ત છે. -> ISI ચીફ બાંગ્લાદેશની મુલાકાતે :- પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ આસિફ મલિક બાંગ્લાદેશની મુલાકાતે છે. ISI ચીફની મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયાની શરૂઆતમાં મંગળવારે બાંગ્લાદેશના ઉચ્ચ કક્ષાના લશ્કરી…
બાંગ્લાદેશની યુનુસ સરકારે બળતામાં ઘી હોમ્યું, ભારતના આમંત્રણને નકારી કાઢયું
હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતમાં આયોજિત સેમિનારમાં બાંગ્લાદેશી અધિકારીઓ હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢ્યું.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આઇએમડીના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૪ જાન્યુઆરીએ દિલ્હીના મંડપમ ખાતે યોજાનાર આ સેમિનાર માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અવિભાજિત ભારતનો ભાગ રહેલા પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે. જોકે, બાંગ્લાદેશે તેમાં જોડાવાનો ઇનકાર કર્યો છે -> આમંત્રણ 1 મહિના પહેલા મળ્યું – બાંગ્લાદેશ :- બાંગ્લાદેશ હવામાન વિભાગ (BMD) ના કાર્યકારી નિર્દેશક મોમિનુલ ઇસ્લામે એક મહિના પહેલા IMD તરફથી આમંત્રણ મળવાની પુષ્ટિ કરી…
વણસેલા સંબંધો વચ્ચે બાંગ્લાદેશે ભારતમાં આયોજિત ન્યાયિક તાલીમ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે ભારતમાં આયોજિત ન્યાયિક તાલીમ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આવતા મહિને 10 ફેબ્રુઆરીએ 50 બાંગ્લાદેશી ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓ મધ્યપ્રદેશ સ્થિત નેશનલ જ્યુડિશિયલ એકેડમી ઓફ ઈન્ડિયામાં તાલીમ લેવાના હતા. બાંગ્લાદેશના કાયદા મંત્રાલય દ્વારા આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી હતી, જોકે રદ કરવાના કારણો વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી. સ્થાનિક અહેવાલો અનુસાર, આ નિર્ણય બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ લેવામાં આવ્યો છે.કાર્યક્રમ હેઠળ, બાંગ્લાદેશના 50 ન્યાયાધીશો એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવવાના હતા. આ તાલીમ ઝુંબેશમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશો, અધિક જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશો, સંયુક્ત જિલ્લા ન્યાયાધીશો, વરિષ્ઠ મદદનીશ ન્યાયાધીશો અને મદદનીશ ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો સમગ્ર ખર્ચ ભારત સરકાર દ્વારા…
‘સારા સંબંધો બન્ને દેશોના હિતમાં છે’. ભારત સાથેના રિલેશનને લઇને બોલ્યા બાંગ્લાદેશના આર્મી ચીફ
બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રીય સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપી શકે. એક ઈન્ટરવ્યુમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ અને પડોશી દેશો સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેમણે મોહમ્મદ યુનુસના વચગાળાના વહીવટની પોલીસિંગ નિષ્ફળતાઓ પર ચિંતા વ્યક્ત કરી અને દેશમાં શાંતિ, સુશાસન અને વિકાસ માટે રાજકીય પક્ષોની સક્રિય ભૂમિકાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જનરલ વકારે કહ્યું કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અને સામાજિક વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. તેમણે કહ્યું, “શાંતિ અને સ્થિરતા વિના વિકાસ અને સુશાસન શક્ય નથી. આપણે પરસ્પર સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું પડશે અને સમાધાન તરફ પગલાં ભરીને રાષ્ટ્રીય સર્વસંમતિનું વાતાવરણ બનાવવું પડશે.” ભારત સાથેના સંબંધો પર…
















