ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો

રાજ્યમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરવામાં આવી છે. ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. ત્યારે સમગ્ર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી હતી. આ પણ વાચો :- Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. જેમાં ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. જોકે ઘણા સમયથી ખેલ સહાયકમાં વયમર્યાદા બાબતે વિચારણા ચાલુ હતી. આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે” પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું…

gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ…

રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન કરશે. સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. નારાજ મધ્યાહન ભોજન કર્મીઓ સાંસદો,MLAને સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર રાજ્યમાં દેખાવો કરશે. આગામી 1 એપ્રિલથી મધ્યાહન ભોજન કર્મીઓએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર મધ્યાહન ભોજન કર્મીઓને જ અન્યાય થઈ રહ્યો છે. અને એટલે જ રાજ્યના તમામ મધ્યાહન ભોજન કર્મીઓ પોતાની માગને લઈને આંદોલનનું હથિયાર ઉગામ્યુ છે. આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે મધ્યાહન ભોજન કર્મીઓ શું કહી રહ્યા છે? :- મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓ જ અત્યારે મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યા છે. આ યોજના હેઠળ કામ કરતાં…