ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો

રાજ્યમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરવામાં આવી છે. ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. ત્યારે સમગ્ર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી હતી.

આ પણ વાચો :- Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. જેમાં ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. જોકે ઘણા સમયથી ખેલ સહાયકમાં વયમર્યાદા બાબતે વિચારણા ચાલુ હતી.

આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”

પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોના બહોળા હિતમાં મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. ખેલ સહાયકની ભરતી વારંવાર નથી આવતી. ત્યારે લાયક ઉમેદવારોને તક મળી રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરી દેવામાં આવતા લાયક ઉમેદવારને સારી તક મળી શકશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *