અરવલ્લી મામલે કોંગ્રેસે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
કોંગ્રેસ પાર્ટીએ સોમવારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર અરવલ્લી પર્વતમાળાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીનો દાવો છે કે સરકારી નીતિઓને કારણે અરવલ્લી પર્વતમાળા જોખમમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર ખાણકામ જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાથી અરવલ્લીના પહેલાથી જ બરબાદ થયેલા ઇકોસિસ્ટમને વધુ નુકસાન થશે. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “દેશ હાલમાં અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નવીનતમ નિર્દેશોની રાહ જોઈ રહ્યો છે. અહીં વધુ પુરાવા છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા પહેલાથી જ બરબાદ થયેલા આ ઇકોસિસ્ટમ પર વધુ વિનાશ લાવશે. મુદ્દો ફક્ત ખાણકામનો નથી – ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની ભલામણોને અવગણીને, નવી દિલ્હી અને જયપુરમાં ડબલ-એન્જિન સરકાર રિયલ એસ્ટેટ…
અરવલ્લી પર મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નવા ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તમામ રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ નવા ખનન પટ્ટાને મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અરવલ્લીના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો અને ગેરકાયદેસર ખનન પર અંકુશ મૂકવાનો છે. મંત્રાલયના નિવેદન મુજબ, અરવલ્લી પર્વતમાળા જૈવ વૈવિધ્ય, ભૂગર્ભ જળ સંરક્ષણ અને ઉત્તર ભારતના પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દિલ્હીથી ગુજરાત સુધી વિસ્તરેલી આ પર્વતમાળા પર વધતી ખનન પ્રવૃત્તિઓને કારણે વનસ્પતિ, પ્રાણીજીવન અને પાણીના સ્ત્રોતોને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં સમાન રીતે લાગુ પડશે. ઉદ્દેશ એ છે કે અરવલ્લીને એક અખંડ અને સતત ભૂગર્ભીય પર્વતમાળા તરીકે જાળવી…
અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું-“90 ટકાથી વધુ વિસ્તાર સુરક્ષિત, ખનનને……”
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવા ખોટા અને ભ્રામક છે. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે. પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરવલ્લી વિસ્તારના 90 ટકા કરતાં વધુ ભાગને સંરક્ષિત ક્ષેત્ર તરીકે આવરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રહેશે. પરિભાષા બદલવાથી ચિંતા, સરકારે આપી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો…
Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ
અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા. ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઇ ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે કલાકો સુધી હાઈવે…
















