દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બમણો માર: AQI ચિંતાજનક, 30 ડિસેમ્બર સુધી શીત લહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી-NCR વિસ્તારમાં હાલની ઠંડી અને હવા પ્રદૂષણનો મિશ્રણ મોટા પાયે ગભરાવનું કારણ બની રહ્યું છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં શીત લહેર અને ધુમ્મસની ચેતવણી આપી છે. આ ક્ષેત્રોમાં ઠંડીના જોરદાર ઝટકા સાથે પ્રદૂષણના સ્તર પણ વધતા જવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીમાં 40 મોનિટરિંગ સ્ટેશનોમાંથી અડધા થી વધુ “ગંભીર” શ્રેણીમાં છે. CPCBના જણાવ્યા અનુસાર, 6 વાગ્યે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 391 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં છે. આનંદ વિહારમાં 445, ITOમાં 403, વઝીરપુરમાં 433, રોહિણીમાં 424 અને પટપડગંજમાં 424 AQI નોંધાયા છે. NCRમાં પણ હવા ગુણવત્તા ખૂબ ખરાબ છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ અને વસુંધરામાં અનુક્રમે 394 અને 429 AQI નોંધાયું, જ્યારે નોઇડાના સેક્ટર 125 અને 1માં…

નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર

દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે. ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પરિવહન ક્ષેત્રની જવાબદારી ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક…

દિલ્હી-એનસીઆરમાં શ્વસન કટોકટી: અનેક વિસ્તારોમાં AQI 500ની નજીક, GRAP-4 લાગુ

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ધીમી પવનની ગતિ, સ્થિર હવામાન અને પ્રદૂષકોના વિખેરાવના અભાવને કારણે રવિવારે રાજધાનીમાં આ વર્ષની સૌથી ખરાબ હવા ગુણવત્તા નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની નજીક પહોંચી જતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. સવારથી જ ઘુમ્મસ અને ઝાકળની જાડી ચાદર છવાઈ હતી, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને આંખોમાં બળતરા તથા શ્વસન તકલીફની ફરિયાદો વધી છે. દિલ્હી માટેની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ, રવિવારે સવારે સરેરાશ AQI 462 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સવારે 7 વાગ્યાના ડેટા મુજબ: ક્રમ વિસ્તાર AQI (સવારે 7 વાગ્યે) 1 અલીપુર 439 2…

દિલ્હીમાં હવા ‘ગંભીર’: પ્રદૂષણ વધતાં GRAP-IV લાગુ, 50% કર્મચારીઓ WFH પર, જાણો વિગત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ઘટીને 441 પર પહોંચી ગયો, જેને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CAQM (Commission for Air Quality Management) દ્વારા તાત્કાલિક અસરથી GRAP Stage-IV હેઠળ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, GNCTD હેઠળની તમામ સરકારી કચેરીઓ તેમજ દિલ્હીમાં કાર્યરત તમામ ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને હવે ઘરેથી કામ (WFH) કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું વાહન વ્યવહાર ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યું છે. શાળાઓમાં હાઇબ્રિડ મોડ લાગુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને કારણે દિલ્હીની…

કિરણ બેદીએ પીએમ મોદીની માફી કેમ માંગી? દિલ્હીમાં AQI મામલે જાણો શું કહ્યું

ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી કિરણ બેદીએ દિલ્હીમાં વધતી જતી વાયુ પ્રદૂષણની પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. બેદીએ તેમના ‘મન કી બાત’ સંબોધન દરમિયાન વડા પ્રધાનને આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી અને વડાપ્રધાનની માફી પણ માંગી. કિરણ બેદીનો સંદેશ એવા દિવસે આવ્યો જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં એકંદરે AQI 369 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. કિરણ બેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના “મન કી બાત” સંબોધન દરમિયાન આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી. બેદીએ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે પીએમ મોદીના અસરકારક ઝૂમ સત્રોનો પણ ઉલ્લેખ કર્યો. બેદીના ટ્વીટમાં લખ્યું હતું કે, “સાહેબ, કૃપા કરીને મને આ વિનંતી વારંવાર કરવા બદલ માફ કરો. પરંતુ…

ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…

વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન

વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર અને હવાની ગુણવત્તા અંગે રીયલ-ટાઇમ માહિતી આપશે. કારેલીબાગ ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થાપના આ સ્ટેશન કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત સ્થાપિત થયું છે. કારેલીબાગ વિસ્તારના પાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલ આ સ્ટેશન વડોદરાની હવા કેટલી શુદ્ધ છે તેની સતત દેખરેખ રાખશે. રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર સ્ટેશન આ મોનીટરીંગ સિસ્ટમ 24 કલાક સતત કાર્યરત રહેશે અને તેનું ડેટા સીધું GPCB અને CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના સર્વર સાથે જોડાશે. હવાની ગુણવત્તા અંગેની માહિતી CPCB ની વેબસાઇટ અને “સમીર” મોબાઈલ એપ્લિકેશન…