દિલ્હીમાં હવા ‘ગંભીર’: પ્રદૂષણ વધતાં GRAP-IV લાગુ, 50% કર્મચારીઓ WFH પર, જાણો વિગત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ઘટીને 441 પર પહોંચી ગયો, જેને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CAQM (Commission for Air Quality Management) દ્વારા તાત્કાલિક અસરથી GRAP Stage-IV હેઠળ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, GNCTD હેઠળની તમામ સરકારી કચેરીઓ તેમજ દિલ્હીમાં કાર્યરત તમામ ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને હવે ઘરેથી કામ (WFH) કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું વાહન વ્યવહાર ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યું છે.

શાળાઓમાં હાઇબ્રિડ મોડ લાગુ
પ્રદૂષણની ગંભીર સ્થિતિને કારણે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને પણ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. ધોરણ 9 અને 11 (ધોરણ 10 સિવાય) ના વિદ્યાર્થીઓ માટે આગામી આદેશો સુધી હાઇબ્રિડ મોડ (ઓનલાઇન + ઓફલાઇન) શિક્ષણ પદ્ધતિ અમલમાં રહેશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે.

GRAP Stage-IV હેઠળ લાગુ પ્રતિબંધો
CAQM દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો મુજબ Stage-IV દરમિયાન નીચેના કડક પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે:

ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ:
આવશ્યક ચીજવસ્તુઓ, CNG/LNG, ઇલેક્ટ્રિક વાહનો અને BS-VI ધોરણોને પૂર્ણ કરતા વાહનો સિવાય અન્ય ટ્રકોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

વધારાના કટોકટી પગલાં:
– પરિસ્થિતિ વધુ બગડે તો રાજ્ય સરકારોને
– કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવી,
– બિન-આવશ્યક વ્યાપારિક પ્રવૃત્તિઓ અટકાવવી,
– તેમજ વાહનો માટે ઓડ-ઇવન યોજના લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

પ્રદૂષણ વધવાનું કારણ શું?
CAQM એ જણાવ્યું છે કે પવનની ધીમી ગતિ, સ્થિર વાતાવરણ, પ્રદૂષકોના વિખેરાવમાં અછતને કારણે AQIમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શિયાળાની ઋતુ દરમિયાન વાહનોનું ઉત્સર્જન, ડાંગરના ભૂંસડા બાળવા અને અન્ય સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતો દિલ્હી-NCRની હવા ગુણવત્તાને વધુ જોખમી બનાવી રહ્યા છે.

તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શક્ય તેટલું ઓછું બહાર નીકળવા તથા આરોગ્ય સંબંધિત સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…