મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે, ભારતને ન સોંપવાની અરજી ફગાવાઇ

મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં ચાર્જશીટમાં રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. મુંબઈમાં હુમલા માટેના લોકેશન્સ શોધવામાં મદદ: ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી, જેણે હુમલા માટે મુંબઈમાં ટાર્ગેટની શોધખોળ હાથ ધરી હતી. શિકાગોમાં ધરપકડ કરાઇ હતી:   26/11ના મુંબઈ આતંકી હુમલાના લગભગ એક વર્ષ બાદ રાણાની શિકાગોમાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર:- તહવ્વુર રાણા અને તેના સહયોગી ડેવિડ કોલમેન હેડલીએ…

દિલ્હીના L.Gએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની EDને મંજુરી આપી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. EDનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂપિયાની લાંચ લઈને અનુચિત લાભ આપ્યા હતા. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે બે વર્ષની તપાસમાં એક પૈસો પણ વસૂલવામાં આવ્યો નથી. -> લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે એક નિવેદન બહાર પાડ્યું :- લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મંજૂરી આપી દીધી…