સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, UPના રાજ્યપાલ સુરક્ષિત; બે કોચના કાચને નુકસાન

મુંબઈથી અમદાવાદ તરફ દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી આગળ વધી ઉત્રાણ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રેન 22961 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચાલે છે અને સુરત તેનો મહત્વનો સ્ટોપ છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ખાસ બાબત એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. રાજ્યપાલની હાજરીને કારણે ઘટનાની ગંભીરતા વધુ…