ઠંડી વિદાય લઈ રહી છતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી, તાપમાનમાં પણ આવશે ફેરફાર
ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપોની અસર શરૂ થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ 10 ફેબ્રુઆરીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખેતી પર અસર કરી શકે હોવાથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તાપમાન રહેશે 20થી 28 ડિગ્રી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકિનારાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 20થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરી બાદ ધીમે-ધીમે વધશે તાપમાન અંબાલાલ પટેલના કહેવા મુજબ 12 ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની શક્યતા છે. જોકે, ત્યાં સુધી હવામાનનો મિજાજ બદલાતો રહે તેવી શક્યતા હોવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની જરૂર છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાતમાં આ તારીખથી ઠંડી સાથે માવઠાની સંભાવના, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં અચાનક ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી ઠંડી સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. હવામાનની વિગતવાર સ્થિતિ હાલ બેવડી ઋતુમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત પર જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને ઠંડા પવનનું પ્રભાવ રહેશે. 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે હળવો વરસાદ પડી શકે છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી હવામાનમાં ફેરફારની અને 13 ફેબ્રુઆરી આસપાસ પણ વાતાવરણ બદલાવાની શક્યતા છે. ખેડૂતો માટે ચેતવણી આગાહી મુજબ, રવિ પાકોની સિઝનમાં કમોસમી વરસાદ પડવાથી ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળી જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. હવામાન તંત્ર ખેડૂતોને પાકની સુરક્ષા માટે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યું છે. હવામાન નિષ્ણાંતો અનુરોધ કરે છે કે સામાન્ય નાગરિકો પણ ઠંડી અને કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં લેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વર્ષના ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. અંબાલાલ પટેલની આગાહી: – પવનની ઝડપ સામાન્ય રીતે 6 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. – ઉત્તર ગુજરાતમાં પવન નરમ, 6 થી 9 કિ.મી/કલાક રહેશે. – કચ્છ, દરિયાકાંઠા અને સુરત વિસ્તારમાં પવન થોડી વધારે તીવ્રતા ધરાવશે. – દિવસ અને સાંજ દરમિયાન પવન અનુકૂળ રહેશે, જે પતંગ ઉત્સાહીઓ માટે આદર્શ રહેશે. – 15 જાન્યુઆરીના દિવસે પવનમાં થોડી વધઘટ જોવા મળી શકે, પરંતુ આ બે દિવસ પતંગ ચગાવનારા માટે આનંદદાયક રહેશે. હવામાન વિભાગની આગાહી: – પવનની ગતિ લગભગ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જે પતંગ ચગાવવા માટે યોગ્ય માનવામાં આવે છે. – ઉત્તર અને ઉત્તર-પૂર્વ ગુજરાતમાં પવન ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે. – સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવનની દિશા અનુકૂળ રહેશે. – પવન સતત અને સંતુલિત રહેશે, જેના કારણે સવારથી બપોર સુધી પતંગ ઉડાવવાનો આનંદ બમણો થશે. આગાહી અનુસાર, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પતંગ ઉત્સાહીઓ માટે આ વર્ષ વધુ મજેદાર અને આનંદદાયક રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે. તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતાં ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે. જોકે પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતાં જાન્યુઆરીના અંતમાં ફરી એકવાર ઠંડીનું મોજું વળવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
રાજ્યમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિષે
ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆત સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ સાથે 2025ની વિદાય અને નવા વર્ષની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની સંભાવના છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર કચ્છના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં માવઠાની શક્યતા છે. દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ તેમજ વાવ-થરાદ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનના પારા ગગડતા લોકો ઠંડીનો વધુ અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. હાલમાં 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. દાહોદમાં 11.1 ડિગ્રી અને ડાંગમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને ડીસામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14.8 ડિગ્રી અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અંબાલાલ પટેલની અગાઉની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 ડિસેમ્બરના રોજ આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન કડકડતી ઠંડી પડશે. ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડા પવનોનો પ્રભાવ રહેશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં ઘટાડો થશે, પરંતુ 10 જાન્યુઆરી બાદ ફરી પવન ફૂંકાવા સાથે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તરાયણ દરમિયાન પણ ઠંડી સાથે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી
ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠેકઠેકાણે વરસાદ પડી શકે છે. તાજેતરમાં گزરી ગયેલા દિત્વાહ વાવાઝોડા બાદ રાજ્યના વાતાવરણમાં પહેલેથી જ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ભરશિયાળે પડતા આ સંભાવિત માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે, કારણ કે પાકોના અંતિમ તબક્કામાં પડતો વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગ તરફથી સત્તાવાર આગાહી આવવાની બાકી છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ અઠવાડિયામાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર રહેવાની શક્યતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી
ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે, જ્યારે નવેમ્બર અંત અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ: – 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. – ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં વરસાદ વધશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. – ઉત્તર ગુજરાતમાં તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે. – નવેમ્બર ત્રીજા સપ્તાહથી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. – ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં શું બદલાશે? હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, હવે રાજ્યમાં ધૂંધળું વાતાવરણ, વાદળછાયા દિવસો અને રાત્રીના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે. લોકો માટે ગરમ કપડાં તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના ખેડૂતવર્ગ માટે વરસાદ પછી આંશિક રાહત મળી છે, પરંતુ હવે કડકડતી ઠંડી ખેતી અને દૈનિક જીવન પર અસર કરશે તેવી શક્યતા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ
ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ આગામી 48 કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. નવેમ્બરમાં પણ વરસાદી માહોલ હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 4 થી 8 નવેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોપ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવશે. 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હાલના વરસાદના આંકડા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 20 તાલુકામાં હળવા ઝાપટાં નોંધાયા છે. સૌથી વધુ અમિરગઢ (બનાસકાંઠા)માં 1.25 ઈંચ, સુઈગામમાં 21 મિ.મી, સુત્રાપાડામાં 13 મિ.મી, થરાદમાં 11 મિ.મી અને ધાનેરામાં 9 મિ.મી વરસાદ નોંધાયો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનામાં હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. આ પણ વાંચો :- વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે. આ સાથે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે, કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. આ પણ વાંચો :- Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમાં તેમણે પણ માવઠાની આગાહી આપી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચના અંતિમ દિવસોમાં પવનની થોડી સ્પીડ જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે તે વધુ હશે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે. Follow us On Social Media 🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital📸 Instagram : https://www.instagram.com/bindiadigital/🌐 Website : https://bindia.co/TWITTER : https://x.com/buletin_indiaFOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I















